SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ છે. એકદીપકની જ્યોતમાંથી અનેકદીપકની જ્યોત સ્વયં પ્રગટે છે. ગુરુપાવરહાઉસ છે. જેમ કમ્યુટર(ગણનાતંત્ર), ટી.વી.(દૂરદર્શન), લેપટોપ જેવાં સાધનો હોવા છતાં જો પાવર હાઉસ સાથે જોડાણ જ ન હોય તો તે સાધનોથી શું સરે? તેમ આત્મજ્ઞાની ગુરુ હોવા માત્રથી કંઈ ન થાય. આત્મજ્ઞાની ગુર સાથે વિનય શિષ્ય હોવો અત્યંત આવશ્યક છે. ગર્ગાચાર્યના ૫૦૦ શિષ્યો અવિનીત હતા. ગુરુસ્વયં આત્મજ્ઞાની હતા પરંતુ ગુરુની પ્રત્યેક કિયામાં ખોડખાંપણ જોનારા સ્વછંદી શિષ્યો પ્રતિબોધ પામી શક્યા નહીં. બીજી તરફ વિશ્વમાં અજોડ વિનયી તરીકે પંકાયેલા ગૌતમ ગણધર ભગવાન મહાવીર સ્વામીનો અનન્ય વિનય કરી સર્વજ્ઞ બન્યા. “ઇદં નિરોટેળ વેડું મોવટ્વી' - અર્થાત્ સ્વમતિનો ત્યાગ કરી ગુરુમતિ પ્રમાણે ચાલનાર સ્વસ્વરૂપને પામે છે. આ સૂત્રની યથાર્થતા દર્શાવતું સાધ્વી મૃગાવતીનું દષ્ટાંત જગવિખ્યાત છે. સદ્ગરને પામવા અહંનું વિસર્જન અને ગુણગ્રાહીપણું આવશ્યક છે. ગુરુના દોષ જોવા એ કાકવૃત્તિ છે. સ્વદોષદર્શન અને પરગુણગ્રહણ એ હંસવૃત્તિ છે. સ્વદોષ દર્શનથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે. *ચિલાતી પુત્રનું દષ્ટાંત આ વાતને સમર્થન આપે છે. સ્વદોષદર્શન અને ગુરુ સમર્પણથી ચિલાતીમુનિ ભવસાગર ઓળંગી ગયા જ્યારે આત્મપ્રશંસા અને ગુરુની અવહેલના કરી ગોશાલકે અનંત સંસાર લંબાવ્યો. એકનું એક જળબિંદુ તપેલાં તવા પર પડતાં જ પોતાનું નામો નિશાન મિટાવે છે, જ્યારે છીપ સંપુટમાં ઝીલાયેલું જળબિંદુ સાક્ષાત્ મોતી બની જાય છે અર્થાત્ વસ્તુના સારાસારતાની ફલશ્રુતિ પાત્રતાને આભારી છે. ગાય ઘાસના બદલામાં દૂધ આપે છે જ્યારે સાપ દૂધ જેવી શ્રેષ્ઠ વસ્તુને વિષમાં પરિવર્તિત કરે છે. આ ફલશ્રુતિ જપાત્રતા-અપાત્રતાને પુરવાર કરે છે. પરમાત્માના સમવસરણમાં જિનવાણી સાંભળવાવાળા અનેક હોય છે પરંતુ દરેકની - યોગ્યતા-પાત્રતા અલગ અલગ હોય છે. પાત્રતા અનુસાર જ પ્રાપ્તિનું પરિણમન હોય છે. સંગ્રહણીના *ચિલાતી પોતાની પ્રેયસી સંસીમાને ખેંચતો દોડવા લાગ્યો. સુસીમાના ભાઈઓ અને પિતા તેને પકડવા તેની પાછળ દોડ્યા. ચિલાતીએ એકઝાટકે પોતાની પ્રેયસી સીમાનું ડોકું કાપી નાંખ્યું કારણકે સીમાના પિતા અને ભાઈઓ તેને પકડવા માટે નજીક આવી પહોંચ્યા હતાં. “સુસીમા મારી ન થઈ શકે તો તેના પિતાની પણ હું નહીં થવા દઉં એવી. ભાવનાથી ચિલાતીએ સુસીમાનું ડોકું ધડથી અલગ કરી નાંખ્યું. તે ડોકું લઈ દોડવા લાગ્યો પણ હવે તે માનસિક રીતે ભાંગી પડ્યું હતો. શું કરવું કંઈ સૂઝતું ન હતું. તે સુસીમાના લોહીથી લથપથ વસ્ત્રો જોઈ શકતો ન હતો. તેટલામાં વૃક્ષની નીચે કોઈ મુનિને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા જોયા. તે મુનિ ચારણ લબ્ધિવંત હતા. તેણે મુનિને હચમચાવીને પૂછયું, “સુખ ક્યાં છે? ધર્મ શું છે? તે મને કહો.”મુનિ ભગવંતે ધીર ગંભીર સ્વરે કહ્યું, “ઉપશમ, સંવર અને વિવેક.”મુનિ ભગવંતે આપેલી આ ત્રિપદી પર ચિલાતી પુત્ર ચિંતન કરવા લાગ્યો. તેનું ચિંતન પ્રગાઢ બન્યું. ઉપશમ પદ કષાયોની જ્વાળાઓને ઉપશાંત કરવાનું સૂચન કરે છે. સંવર પદ પાપકર્મોનો ત્યાગ કરી આત્માને ધર્મમાં સ્થિર કરવાનું સૂચવે છે. વિવેકપદભેદજ્ઞાનનું સૂચક છે.” - ચિલાતીનું જીવન પરિવર્તન થયું. ઉપશમ પદથી તે શાંત બન્યો. ધ્યાનસ્થ અવસ્થામાં જંગલની લાલ કીડીઓએ ચિલાતીનો દેહ કોચી નાખ્યો. તેને અસહ્ય વેદના થઈ પરંતુ શક્તિ હોવા છતાં હાથથી એક પણ કીડીને દૂરના કરી. સંવર પદના ચિંતનથી ખૂની ચિલાતી મુનિ બન્યો. તેણે છ કાયના જીવોને અભયદાન આપી સંવર ધર્મ સ્વીકાર્યો. વિવેકપદની ચિંતનના ફળ સ્વરૂપે તેણે સસીમા પ્રત્યેનો મોહત્યાગ્યો. (શ્રી જ્ઞાતાધર્મ કથા, અ.૧૮.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy