________________
૧૦૨
દર્દીને દૂધપાક આપવાથી નુકશાન થાય છે, તેમ અપાત્રને વૈરાગ્યસભર વાતો કહેવાથી માઠી અસર થાય છે. જેની પાચન શક્તિ મંદ પડી ગઈ હોય તે મેવા-મીઠાઈ શી રીતે પચાવી શકે? પાત્રતા કેળવવા સ્વદોષદર્શન, ઉપકારભાવ અને લક્ષ્ય જરૂરી છે તેથી જ ભગવાને અવિનીતને ઉપદેશ આપવાની ના કહી છે. શ્રોતા અને શિષ્યની પાત્રતાઃ
સૂર્યનાં કિરણો જગત પર સરખાં પ્રકાશે છે પરંતુ દરેકને તેની પ્રાપ્તિ અલગ અલગ જ થાય છે. શ્રોતા અને શિષ્યની પાત્રતા-અપાત્રતાના વિવિધ પ્રકારો છે. (૧) શૈલઘન જેવા શૈલ જેવા પથ્થર પર સાત રાત્રિ સુધી મુશળધાર વરસાદ વરસે છતાં તે ભીંજાતો નથી, તેમ શૈલઘન જેવા શ્રોતાઓ તીર્થકરની વાણી સાંભળી ભીંજાતા નથી. ઉદા. શૈલઘન જેવા ગૌશાલક અને જમાલી પર જિનવાણીની કોઈ અસર ન થઈ. (૨) ઘડા જેવાઃ જેમ કાચા ઘડામાં પાણી ટકતું નથી તેમ અબુધ શ્રોતાના હદયમાં શ્રુતજ્ઞાન ટકતું નથી. અગ્નિથી પકાવેલા પાકા ઘડાની એવી પાત્રતા છે કે તેમાં ભરેલું ગરમ પાણી પણ થોડા જ સમયમાં ઠરી જાય છે. વળી, જૂના પાકા ઘડામાં ભરેલું પાણી ઝમે છે, તેમ જૂનાપાકા ઘડા જેવા શ્રોતામાં જ્ઞાનરૂપી જળ ભરવાથી તે ભીંજાવા લાગે છે. અર્થાત તેવા જીવાત્માને ધર્મોપદેશની અસર વર્તાય છે. (૩) ચારણી જેવા જેમ ચારણી પાણીમાં ડૂબેલી હોય તો તેમાં પાણી ટકે પણ જેવી ચારણી પાણીમાંથી બહાર આવે ત્યારે તેમાં પાણી ટકે જ નહિ; તેમ ચારણી જેવા શ્રોતાઓ જિનવાણી સાંભળે ત્યારે એકદમ ભીંજાયેલા (વૈરાગ્યયુક્ત) લાગે પરંતુ જેવા બહાર નીકળે એટલે કોરાધાકોર થઈ જાય. જ્ઞાનાવરણીય કર્મના ગાઢ ઉદયથી તેમની સ્મૃતિ ચિરસ્થાયી ન હોય. (૪) ગરણી અથવા સુગરીના માળા જેવા સુગરીનો માળો ગરણી જેવો છે. ગરણી કચરો પકડે છે અને શુદ્ધ પદાર્થને છોડે છે. ગરણી જેવા શ્રોતા સારભૂત તત્ત્વોને છોડી દે છે અને અસારભૂત તત્ત્વોને પકડે છે તેથી શ્રુતજ્ઞાનના અધિકારી બનવાની પાત્રતા ધરાવતા નથી. તેમને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને મોહનીય કર્મનો ઉદય હોય છે. (૫) હંસ જેવા હંસ જેમ દૂધ અને પાણીના મિશ્રણમાંથી ફક્ત દૂધને ગ્રહણ કરે છે, તેમ હંસ જેવા શ્રોતા ગુણગ્રાહી હોય છે. તેઓ અર્થરૂપ, સારરૂપ ગ્રહણ કરે છે. બાકીનું બધું જ છોડી દે છે. યોગ્યને ગ્રહણ કરવાની કળા એ જ એમની પાત્રતા છે. (૬) બકરી જેવા બકરી જેમ આગળનાં બંને ગોઠણ ટેકવી પછી સ્વચ્છ પાણી જ પીવે છે, તેમ બકરી જેવા શ્રોતા બે હાથ જોડી વિનયપૂર્વક જ્ઞાન ગ્રહણ કરે છે. તેઓ ગુરુની અવહેલના કરતા નથી. વિનીતા હોવું એ જ એમની પાત્રતા છે. (0) મહિષ (ભેંસ) જેવા ભેંસ સ્વચ્છ પાણીમાં પડી ડોહળું પાણી બનાવે છે પછી તેમાં જ મળમૂત્ર કરી ગંદુ કરે છે. તે ખુદ પાણી ન પીવે કે ન સાથીઓને પીવા દે. ભેંસ જેવા શ્રોતા ગુરુ પાસેથી શાસ્ત્રોનું જ્ઞાન એકાગ્રપૂર્વકન સાંભળે કે ન બીજાને સાંભળવા દે. અવિનય એ અપાત્રતાનું લક્ષણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org