________________
૧૬૦
आकर्णितोऽपि महितोऽपिनिरीक्षितोऽपि। नूनं न चेतसिं मया विद्धृतोऽसि भक्त्या।। जातोऽस्मि तेन जनबांधव । दुःख पात्रम्।
यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः।। અર્થ: હે જન બાંધવ! મેં આપને સાંભળ્યા છે, બહુમાન પણ કર્યું છે, આપનું દર્શન પણ કર્યું છે પરંતુ ખરેખર મને લાગે છે કે બધી ક્રિયાઓ કરતી વખતે ભક્તિભાવથી મેં આપને હદયસ્થ કર્યા નથી. હું(જન્મમરણરૂપ) દુઃખનું ભાજન થઇ રહ્યો છું. તેથી સિદ્ધ થાય છે કે સદ્ગુરુ હોવા છતાં ભાવ વિનાની અંતરની પરિણતિથી ક્રિયા ફલવતી થતી નથી.
અનંત ભવ ભ્રમણમાં સમ્ય વિચારનું પરિણમન ચરમપુદ્ગલ પરાવર્તન કાળમાં જ થાય છે. જેમ નાનું બાળક અગ્નિના સ્વભાવથી અનભિજ્ઞ છે, તેમ અચરમાવર્તકાળનું જીવાત્મા સભ્ય વિચારના મર્મથી અજાણ છે.
પ્રસ્તુત વાત સમજવા શ્રીમદ્જીનું દષ્ટાંત અત્યંત ઉપયોગી છે. ચડતા તાવના સમયે દર્દીને આપેલું ઔષધ ગુણકારી થતું નથી પરંતુદોષની ઉદીરણા કરાવનાર બને છે, તેમ અચરમાવર્તકાળમાં કાળના અપરિપક્વતાથી જિનવચન ગુણકારી થતું નથી પરંતુ દોષોને ઉત્તેજના આપનાર બને છે. ચરમપુદ્ગલ પરાવર્તન કાળમાં આપેલ સદ્ધર્મરૂપી ઔષધ હિતકારી બને છે. જે ભવરોગ મટાડે છે.
“શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે: તગ્નિસંધિગમ૬િ વાTદારૂા. અર્થાત્ નિસર્ગ (સ્વાભાવિક) અને અધિગમ (બીજાના ઉપદેશ)થી બોધ થાય છે. અધિગમ સમ્યક્ત્વ (બોધ) દેશના વિના ન થાય. વળી, કોઈ જીવને આ ભવમાં દેશના (જ્ઞાનીના ઉપદેશ) વિના બોધ થયો હોય તો પણ એમ સમજવું કે તેને પૂર્વભવમાં નિયમથી દેશના પ્રાપ્ત કરી છે.
સમ્યગદર્શનને પામવાની દશ રુચિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના-૨૮માં અધ્યયનમાં કહી છે. 'તેમાં પણ ઉપદેશરુચિની વાત કરી છે. ઉપદેશરુચિ એટલે ગુરુ આદિના ઉપદેશથી થતી તત્ત્વ રુચિ છે. - નારકી અને દેવો અવધિજ્ઞાન દ્વારા પૂર્વની દેશના જાણે છે. મનુષ્ય અને તિર્યંચ જાતિ
અરણજ્ઞાનથી પૂર્વભવની દેશના જાણે છે. જેમકે- ચંડકૌશિક સર્પ, મેઘકુમાર ઈત્યાદિ. - જિનેશ્વર ભગવંત, આચાર્યો અને સમ્યગદષ્ટિ જીવોની વાણીને ‘દેશના' કહેવામાં આવે છે. શ્રવણ, ગ્રહણ, ધારણ અને નિર્ધારણ એ દેશનાલબ્ધિના અંગો છે. તત્ત્વોની હેય અને ઉપાદેય રૂપે પરીક્ષા કરવી, જીવાદિ નવ તત્ત્વોને ઓળખવા, સ્વ-પરને જાણવા, યોગ્ય-અયોગ્યનો વિવેક અને તે પ્રમાણેનું આચરણ કરનાર જીવાત્મા આ સમયમાં બોધ પામે છે. તત્ત્વનો ઉપદેશ પ્રાપ્ત કરાવવામાં ગુરુ નિમિત્તરૂપ બને છે.
સુકાયેલી ધરતીને મહોરવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, તેમ સુકાયેલી માનવતાની હદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને ફરી સ્થાપવા પયગંબરો (સદ્ગુરુ) આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org