SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ દાણા પીસાઈ જાય છે પણ જે થોડા દાણા ખીલા સાથે ચીપકી જાય છે તે આબાદ બચી જાય છે, તેમ જ વ્યક્તિ નિશ્ચય સમકિત (સ્વધર્મ) સાથે જોડાઈ રહે છે તેનું અન્ય દુઃખદ પ્રસંગો, રાગ-દ્વેષ કંઈ બગાડી શકતા નથી. દધર્મી અને પ્રિયધર્મી જીવો લોકોના દબાણને ગણકારતા નથી. તેઓ પોતાની શ્રદ્ધામાં અવિચલ રહે છે. આવી તત્ત્વ શ્રદ્ધા ધરાવનાર આત્મા સ્વગુણની રક્ષા કરે છે. જેમ સીડી ચડવામાં શ્રમ પડે છે, તીર્થ સ્થાનોએ ઊંચે રહેલાં પરમાત્માના દર્શન કરવામાં શરીરને કષ્ટ પડે છે પરંતુ નીચે ઉતરવામાં શ્રમ પડતો નથી, તેમ ઉર્ધ્વગમન કરી આત્મગુણોની ખીલવટ કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે પરંતુ એક ખરાબ નિમિત્ત મળતાં આત્માનું અધપતના ક્ષણવારમાં થાય છે. અરે! અધ્યાત્મની ઊંચાઈએ પહોંચેલો આત્મા પળવારમાં ૧૧મા ગુણસ્થાનકેથી. નીચે સરકે છે. વ્યક્તિ પોતાની બુદ્ધિ, શક્તિ, વૈર્ય અને સાહસનો સદુપયોગ ધર્મમાર્ગે કરે તો ઉર્ધ્વગામી. બની શકે. અન્યથા કુંડરિક મુનિની જેમ મનુષ્યભવ હારી જાય છે. અભયકુમારે રોહિણેય કુમારનો હાથ પકડી તેને ઉપદેશતાં કહ્યું, “અધોગમન કરવામાં જેટલો તેં શ્રમ કર્યો છેં એનાથી વિશેષ શ્રમ ઉર્ધ્વગમન કરવામાં કરીશ તો તારું કલ્યાણ થશે.” | રોહિણેયકુમાર મુક્ત બન્યો. આજે તે ખૂબ આનંદિત હતો કારણકે મહામાત્યા અભયકુમારની બુદ્ધિજાળમાંથી નિરપરાધપણે છૂટવું એ કોઈ સામાન્ય બાબત ન હતી. રોહિણેયકુમાર મુક્તિના વિચારોમાં ખોવાયો. તે ક્યારે વૈભારગિરિની ગુફામાં પ્રવેશ્યો તેની ખબર ન પડી. રાત્રિના સમયે તે ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ આજે તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે સંપૂર્ણ રાત્રિ આંખ મીચી ન શક્યો. દિવસ દરમ્યાન બનેલી ઘટના અને પોતાની મુક્તિ પર તે ચિંતન કરવા લાગ્યો. વિચારોએ તેનો કેડો નમૂક્યો. મહામંત્રી અભયકુમારે મારા વૈર્ય, બુદ્ધિ અને સાહસની પ્રશંસા કરી છે. ખરેખર! શું હું મારી બુદ્ધિના બળ પર મુક્ત થયો છું? ના. મને પગમાં કાંટો વાગ્યો તે દિવસે જો મેં ભગવાનની વાણી ન સાંભળી હોત તો શું હું મહામંત્રીના ષડ્યુંત્રમાંથી બચી શકત? શું મારા માથેથી મરણનું સંકટ દૂર થાત? ઈચ્છા વિના સાંભળેલા પરમાત્માના વચનોએ મને પ્રપંચમાંથી અને રાજદંડમાંથી બચાવ્યો છે. જો હું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પરમાત્માની વાણી સંભળીશ તો મારો સંસાર અવશ્ય પરિત થશે તેમાં કોઈ સંદેહ નથી. હજારો, લાખો નર-નારી દેવો અને તિર્યંચો પરમાત્માની દેશના સાંભળે છે તો તે શું મૂર્ખ હશે? મૂર્ખ તો છું કે પાપી પિતાને આપેલા વચન ખાતર અત્યાર સુધી હું જિનવચનથી વંચિત રહ્યો છું. મને ધિક્કાર છે. જિનેશ્વરનું એક એક વચન અનંત ઉપકારી છે. અનિચ્છાએ થોડા સાંભળેલા વેણથી પણ મને આજે જીવતદાન મળ્યું છે. આજે હું મહારાજા શ્રેણિકના કારાગૃહમાં નથી, તેમાં પરમાત્માના વચનોનો જ ચમત્કાર છે.'રાસનાયકને જિનવાણી પ્રત્યે અનન્ય અહોભાવ જાગ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy