________________
૧૬૨
નૃપહરિતિલકના પુત્ર રાજકુમાર વિક્રમે અસાધ્ય રોગના ઉદય કાળમાં યક્ષને સો પાડાની બલિ આપવાની માનતા માની. રોગ દૂર થતાં યક્ષે સો પાડાનો ભોગ'ની માનતા યાદ કરાવી, તે પાડાઓનું બલિ માંગ્યું. સમકિતી થયા પછી પોતાના પુણ્ય અને પાપમાં દઢ વિશ્વાસ રાખનારા રાજકુમારે યક્ષની ઉપેક્ષા કરી. યક્ષે ખીજાઈને રાજકુમારને વિચલિત કરવા મારણાંતિક ઉપસર્ગો અપ્યા, છતાં દઢ સમકિતી રાજકુમાર ચલિત ન થયો ત્યારે કંટાળીને યક્ષે કહ્યું, “હુંપાડાનો વધ નથી માંગતો પરંતુ તું મને નિત્ય પ્રણામ તો કર.” રાજકુમાર વિક્રમે નિર્ભયપણે કહ્યું, “હું જીવદયાના રક્ષક અને ઉપદેશકજિનદેવ સિવાય અન્ય કોઈને નમસ્કાર કરતો જ નથી."
અંબડ સન્યાસીની માયાજાળમાં સતી સુલસાની શ્રદ્ધા અંશ પણ ચલિત ન થઈ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને જિનદેવનું સ્વરૂપ રચનાર અંબડ સંન્યાસી અંતે હતાશ થયો. સુલતાએ તેને નમન ન કર્યા પણ એક સાધર્મિક સમજી તેની અવશ્ય ભક્તિ કરી.
જૈન ધર્મના કટ્ટર દ્વેષી હરિભદ્ર પુરોહિત જ્યારે સત્સંગથી જિનધર્મ પામ્યા ત્યારે સર્વવિરતિધર બન્યા. તેઓ જિનધર્મથી એટલા તો પ્રભાવિત થયા કે તેમના મુખમાંથી ઉગારો નીકળ્યા, “અરે! આ અનેકાન્ત સ્વરૂપ જિનશાસન ન મળ્યું હોત તો ચાર ગતિના સંસારમાં અમે જ્યાં ત્યાં કુટાતા હોત.”
મહાત્મા સિદ્ધર્ષિ ગણિવર સાત સાત વખત બૌદ્ધમતના રાગી બન્યા. છેવટે ગુરુએ. લલિતવિસ્તરાગ્રંથ વાંચવા આપ્યો. જૈનધર્મના પદાર્થો (તત્ત્વો)થી અત્યંત પ્રભાવિત થઈ જૈન ધર્મમાં સ્થિર બન્યા.
બાર ચક્રવર્તીઓમાંથી દસ ચક્રવર્તીઓએ છ ખંડનું રાજ્ય તણખલાની જેમ ત્યજી ચારિત્ર ધર્મનું અણિશુદ્ધ પાલન કરી આત્મહિત સાધ્યું, જ્યારે સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ ધર્મને તિલાંજલી આપી તેથી નરકમાં પટકાયા.
શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના કામદેવ આદિ શ્રાવકોને દેવે વિચલિત કરવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ શ્રાવકો પોતાના ધર્મમાં અવિચલ રહ્યા.
પ્રાન ત્યનિત ઘઉં, ન ઘર્મ પ્રાણ સંદે - ધર્મ માટે પ્રાણનો ત્યાગ કરો પરંતુ પ્રાણો બચાવવા ધર્મનો ત્યાગ ન કરો; એવું શાસ્ત્રકરો વારંવાર કહે છે.
મોક્ષપાહુડ ગ્રંથમાં આચાર્ય કુન્દકુન્દ (ગા.૮૯) કહે છે:
“જે મનુષ્યએ મુક્તિ કરાવવાવાળા સમ્યગદર્શન (શ્રદ્ધા)ને સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી, અતિચાર લગાડયો નથી, તે મહાન આત્માઓને ધન્ય છે. તે જ કૃતાર્થ છે, શૂરવીર છે, પંડિત છે. શ્રદ્ધા (સ્થિરતા) વિનાનો મનુષ્ય પશુ સમાન છે.”
મીરા ગિરધરની મૂર્તિમાં, તુકારામ વિઠ્ઠલની પાછળ, નરસિંહ મહેતા કૃષ્ણમાં વિલીન હતા, તેમ શ્રાવક અરિહંત દેવમાં તલ્લીન હોય છે.
સમ્યક્ત્વ એ તત્ત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધારૂપ છે. ઘંટીના બે પડ વચ્ચે મોટા ભાગના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org