________________
૧૬૧
કરવાની હતી; તેવું પણ અહીં સ્પષ્ટ થાય છે કારણકે ક્ષત્રિયના શિરે સમાજવ્યવસ્થાની રક્ષાની જવાબદારી હતી.
અભયકુમારે કુતૂહલવશ રોહિણેય ચોરને પ્રશ્ન પૂછયો, “રોહિણેય તને એક વાત પૂછું? જો તું સ્વયંને સાચો શ્રાવક કહેડાવે છે તો આપણે જ્યારે જિનાલયમાં મળ્યા ત્યારે તેં મને નમસ્કાર કેમ ન
કર્યા?”
હાજરજવાબી રોહિણેયકુમારે ગંભીર બની કહ્યું, “હું સાચો શ્રમણોપાસક છું તેથી મારું મસ્તક જ્યાં ત્યાં ન નમે. હું ફક્ત જિનેશ્વર ભગવંતને જ પ્રણામ કરું છું.”
જિનપૂજા, જિનેશ્વરને જ પ્રણામ ઈત્યાદિ પ્રસંગો આપણને બતાવે છે કે, અન્ય ધર્મી હોવા છતાં રોહિણેય ચોરને જૈન ધર્મની સૂક્ષ્મ જાણકારી હતી. આજના યુવકોને જૈન ધર્મ વારસામાં મળ્યો હોવા છતાં જૈનપણાના સંસ્કારોથી તેઓ વંચિત છે. કેવું સખેદ આશ્વર્ય! સુદેવ, સુગુરુ, અને સુધર્મને પામ્યા પછી પણ જ્યાં ત્યાં માથું નમાવનારા અને પત્થર એટલા દેવોને પૂજનારા લોકોનો તોટો નથી. અન્ય દેવ-દેવીઓની માનતા, પૂજા તેમને વંદન-નમસ્કાર કરી મિથ્યાત્વનું પોષણ કરનારા પોતાને શ્રાવકની કોટિમાં ગણતા નબીરાઓ અનગનિત છે. ખેર! બાળ જીવોમાં રત્નને પારખવાની દષ્ટિ ક્યાંથી હોય?
સખ્તત્વ સપ્તતિ, ગા.૪૦માં શ્રી હરિભદ્રસૂરિજીએ સમકિતનાં પાંચ ભૂષણ કહ્યાં છે. (૧) જિનશાસનમાં ક્રિયા કુશળતા (૨) તીર્થ સેવા (૩) ભક્તિ (૪) સ્થિરતા (૫)પ્રભાવના.
તાત્પર્ય એ છે કે, ક્રિયાનિપુણતા, ઉત્તમ સહવાસ, ભક્તિ (વફાદારી), દઢતા અને શાસના ઉન્નતિની અભિલાષાથી શ્રદ્ધાખીલી ઉઠે છે.
સમ્યકત્વના આઠ અંગોમાં સ્થિરિકરણ નામનું એક અંગ છે. પોતાને અથવા પરને જિના ધર્મમાં સ્થાપન કરવું તે સ્થિરિકરણ અંગ છે. થિરયા વઢ સન્મત્ત - દઢ સમ્યક્ત્વએ સ્થિરતા છે. સ્થિરતા એ સમ્યક્ત્વનો પ્રાણ છે. જેમ મનુષ્ય શરીરનાં હાથ-પગ આદિ અંગો છે તેમ સ્થિરતા એ સમ્યકત્વનું મહત્ત્વનું અંગ છે. સમકિતની સ્થિરતા માટે શ્રાવકપાંચ અતિચારનું સેવન ન કરે. સમકિતના પાંચ અતિચારઃ (શ્રી આવશ્યક સૂત્ર) ૧) શંકા વીતરાગદેવ પ્રયુક્ત જૈન ધર્મના સિદ્ધાંતો કે વચનોમાં અંશમાત્ર શંકા ન હોય. ૨) કાંક્ષા : અન્ય ધર્મના અહિતકારી મતની ઈચ્છા- અભિલાષા ન કરે. ૩) વિડિગિચ્છા: ધર્મકરણીના ફળમાં સંદેહ ન રાખે. ૪) પરપામંડપરસંસા અન્ય પાખંડી મતની પ્રશંસા જાહેરમાં ન કરે. ૫) પરપ્રાસંડ સંથવો : અન્ય પાખંડી મતનો પરિચય પણ ન કરે. અન્ય ધર્મના અતિ સંસર્ગ-પરિચયથી સ્વધર્મમાં વિક્ષેપ પડે છે. અન્ય ધર્મના આડંબરોથી સ્વધર્મ વિસરાય છે.
સાચો શ્રાવક અરિહંતદેવ, પંચમહાવ્રતધારી શ્રમણોની સમક્ષ માથું નમાવે છે પરંતુ અન્યા પાસે નહીં. પોતાનાથી મોટા, વડીલોને વ્યવહારથી બે હાથ જોડી પ્રણામ કરે પરંતુ મસ્તક સુદેવ, સુગુર સમક્ષ અહોભાવથી ઝૂકી પડે છે. તેના સંદર્ભમાં નૃપરિતિલકનું દષ્ટાંત પ્રસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org