________________
૧૫૮
શ્રાવકાચારના પાલનથી જ શ્રાવક ઉત્કૃષ્ટ બારમા દેવલોક પહોંચી શકે છે. રોહિણેય કુમાર પોતાને અરિહંતદેવનો સાચો ઉપાસક બતાવે છે. તેનું જિન આરાધનાથી દેવલોકમાં આગમના થયું છે, તેવું દેવાંગનાઓ સમક્ષ કહે છે. મહામંત્રી અભયકુમાર છૂપી રીતે તેની વાતો સાંભળી રહ્યા હતા.
મંત્રીશ્વરના શીખવેલા નોખા નોખા તમામ પેંતરાઓ દેવાંગના અને ગાંધર્વોએ અજમાવ્યા છતાં રોહિણેયકુમાર કોઈ રીતે ભોળવાયો જ નહીં. રોહિણેય કુમારને જીતવો અઘરી વાત નહીં પરંતુ અશક્ય વાત હતી. ગમે તેવી તાતી યુક્તિઓની તલવારના વારને નિષ્ફળ જ નહીં, નિર્બળ બનાવી દેનારી ઢાલ હાથમાં લઈને ઘૂમી રહ્યો હતો.
મહામંત્રી અભયકુમાર હસતાં હસતાં ગુપ્ત કક્ષમાંથી બહાર આવ્યા. અભયકુમારની પૈની, બુદ્ધિ સમજી ગઈ કે, રૌહિણેકુમાર પ્રપંચ રમવામાં નિષ્ણાંત છે. તેની ચતુરાઈ માટે તેમણે તેની પીઠ થાબડી. ફરી એકવાર રોહિણેયકુમારનું સત્ય સ્વરૂપ ન કળાયું. ચોર હોવા છતાં તે સાબિત ન થયો. '
સંશય કે અનુમાનથી કોઈ પણ વ્યક્તિને અપરાધી ઠેરવી સજા કરવી એ ન્યાયની દષ્ટિએ યોગ્ય નથી, એવુંરાજનીતિજ્ઞ અભયકુમારે મહારાજા શ્રેણિકને કહ્યું.
ઢાળ : ૧૧ રાસનાયકનો હદયપલટો
| (દેશી ચંદાયણની) બોલ્યો પ્રેમઇ અભઇકુમારો, માયા મુકયની અત્યહઇ અપારો; તુ તો સહી રોહણીઉ હોઇ, અવર ન દુજો નીચઇ કોઇ રોહણીઉ બોલ્યો તેહાઇ ઠાહયો, એમ કરતા હોશો તમ્યો ન્યાયો;, અસ્યુ કહી નઇ રોહણ જાઇ, અભઇકુમાર ભુજ ત્યારઇ સાહઇ ...૨૧૪ જો તું હું તો શ્રાવક સારો, દહેરામાં કયમ ન કીધ જોહારો; જિન વ્યન ન નમઇએ મુઝ સીસો, તો તુઝનઇ હું કેમ નંદીસ્યો .૨૧૫ બોલ્યો મંત્રી અભઇજ કુમારો, તુ ન બંધાઇ સહી નીરધારો; વિર વચન મન પાસઇ ધરતો, તેણઇ પુયિં અહી આજ ઉગરતો પણિ તુ રોહણીઉ નીરધારો, તાહારા ચરીત્રનો કુણ લહઇ પારો; વણ માનઇ તુઝ કયમ ઝાલું, જો માનઇ તો બહુ રીધ્ય આલું અભઇ કુમારઇ ન ચાલ્યું જયારઇ, આપ વિચાર રોહણ ત્યારઇ; જે પરનઇ વંચવા છઇ ડાહયા, કબી એક તે દી સંઇ વંચાયા હોડયો તાત વચન ધીકારો, વીર વચનથી વંચ્યો અપારો; વીર વચનઉં ફરું નહી સારો, એક વચનથી હોઇ ઉપચારો વીર વચન પડત નહી કરણઇ, તો રોહણીઉ જાઅત મરણછું; વાંછા વ્યના સુણી જીન વાણિ, તો જીવતવ્ય થયું નીજ પ્રાણી જયમ ઉષધ અણવાંછઇ પીઘું, તેણઇ આતમનઇ સૂખ બહુ દીધું વીર વચન ઉષધથી સારૂ, ભવભવનુ દુખ કાઢયું માહારૂં
૨૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org