________________
૧૪૫
સંયમ, સમાધિ આદિ સાધનાના બળે ઈન્દ્રિયોને વશ કરી કર્મબંધ શિથિલ બનાવી શકાય.
કોટિવર્ષનું સ્વપન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂરથાય.”
પુદ્ગલોમાં સતત પરિવર્તન આવ્યા કરે છે. કોઈ પણ નિમિત્તથી અશુભ પુદ્ગલો શુભરૂપે પરિણત થાય છે. શ્રી જ્ઞાતાસૂત્રમાં સુબુદ્ધિપ્રધાને ગટરના ગંદા પાણીનું રૂપાંતર નિર્મળ જળમાં કરી જિતશબુરાજાને પુદ્ગલ પરિવર્તનનો સિદ્ધાંત સમજાવ્યો. તે નિમિત્તથી જિતશત્રુરાજપ્રબુદ્ધ બન્યા.
ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનેલા દેવો મૃત્યુ પામી પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. જ્યાં આસકિત ત્યાં જ ઉત્પત્તિ!' શ્વાસોચ્છવાસઃ
શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા તેને શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. શ્વાસોચ્છવાસ નામા કર્મથી શ્વાસ - ઉચ્છવાસ લઈ મૂકી શકાય તેવી શક્તિ મળે છે અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી એ શક્તિ કાર્ય કરે છે અને તેનાથી જે શ્વાસ લેવા મૂકવાની ક્રિયા દેખાય છે તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે.
આયુષ્યઃ
આયુષ્ય કર્મના દલિકોનું વેદન થતાં જીવ શરીરમાં ટકી રહે છે. દશપ્રાણમાં આયુષ્ય પ્રાણ વિનાનો કોઈ પણ સંસારી જીવ ન હોય. બીજા પ્રાણ વિના જીવન ટકી શકે પરંતુ આયુષ્ય પ્રાણ વિના જીવન ટકી શકતું નથી તેથી બધા પ્રાણોમાં આયુષ્ય પ્રાણ એ પ્રધાન અને મુખ્ય છે.
આયુષ્ય, શ્વાસોચ્છવાસ, કાચબળ અને સ્પર્શેન્દ્રિય આ ચાર પ્રાણ એકેન્દ્રિયથી લઈને સર્વ સંસારી જીવોને હોય છે. બેઈન્દ્રિય જીવને ઉપરોક્ત ચાર પ્રાણ તેમજ રસેન્દ્રિય અને વચનબળ એમ છ પ્રાણ હોય છે. તેઈન્દ્રિય જીવોને ઉપરોક્ત છ અને ધ્રાણેન્દ્રિય એમ સાત પ્રાણ હોય છે. ચૌરેન્દ્રિય જીવોને ઉપરોક્ત સાતમાં ચક્ષુરિન્દ્રિય ઉમેરી આઠ પ્રાણ હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને શ્રોતેન્દ્રિય ઉમેરી નવપ્રાણ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને દશે દશપ્રાણ હોય છે. દેવને દશપ્રાણ હોય છે. શરીર (શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૧૨/૧ અને ૨૧ પદના સૂત્ર-૨ તેમજ શ્રી ભગવતી સૂત્ર ૧૦/૧/૨.)
બીર્યત શીર્ય તિ શરીરઃા જે જીર્ણ (જૂનું) થાય, ક્ષીણ થાય, નિરંતર જર્જરિત થાય તેને શરીર' કહેવાય છે. શરીર પુદ્ગલોનું બનેલું છે. શરીર નામ કર્મના ઉદયથી જીવને તે પ્રાપ્ત થાય છે. શરીર પાંચ પ્રકારના છે. (૧) ઔદારિક શરીર : ઉદાર, પ્રધાન, વિશાળ, સ્થૂલ, માંસ-મજ્જા અને હાડકાનું બનેલું શરીર તે
ઔદારિક શરીર' છે. આ શરીર મુક્તિ ગમનમાં સહાયક છે. આ શરીરની અવગાહના (ઊંચાઈ) અન્ય શરીરો કરતાં વિસ્તૃત છે. જેમાંસ, હાડકાં વગેરેથી બદ્ધ, સ્થૂલ પુદ્ગલનું બનેલું છે. મનુષ્ય અને તિર્યંચને ઔદારિક શરીર હોય છે. (૨) વૈક્રિય શરીરઃ નાના મોટાં, દશ્ય-અદશ્ય રૂપ બનાવી શકે તે વૈદિય શરીર' કહેવાય. તેના બે પ્રકાર છે. ભવ વૈદિય, લબ્ધિ વૈક્રિય. છે જે વૈદિય શરીર ભવના નિમિત્તથી મળે તે ભવપ્રત્યયિક કહેવાય. નારક અને દેવોને આ શરીર હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org