________________
૧૪૧
દેવવિશેષ સુપ્રતિબદ્ધ રૈવેયક મનોરથ રૈવેયક સર્વતોભદ્ર રૈવેયક સુવિશાલ રૈવેયક સુમનસ રૈવેયક સૌમનસ રૈવેયક પ્રિયંકર રૈવેયક
આદિત્ય શૈવેયક વિજય, વિજયંત, જયંત, અપરાજિતા
જઘન્ય આયુષ્ય ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમાં ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૮ સાગરોપમાં ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમાં ૩૧ સાગરોપમાં
ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમાં ૨૫ સાગરોપમાં ૨૬ સાગરોપમાં ૨૦ સાગરોપમ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમાં ૩૦ સાગરોપમાં ૩૧ સાગરોપમાં
૩૩ સાગરોપમાં (મતાંતર ૩૨ સાગરોપમ)
૩૩ સાગરોપમાં
સર્વાર્થસિદ્ધ
૩૩ સાગરોપમાં
પ્રાણનો વિયોગ એટલે મૃત્યુ. મૃત્યુ થતાં જીવ અન્ય યોનિમાં પ્રવેશે છે. યોનિઃ
જીવ જ્યાં ઉત્પન્ન થઈ આહાર કરે તેને યોનિ કહે છે. જીવોનાં ઉત્પત્તિ સ્થાનને જીવાયોનિ કહે છે. જીવ માત્ર પોતાના કર્મસૂત્રથી વિવિધ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થાય છે. - ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોની યોનિ અચિત્ત અને શીતોષ્ણ હોય છે કારણકે તેઓ અચિત્ત શય્યામાંથી ઉપપાત દ્વારા જન્મ ધારણ કરે છે. ગર્ભધારાદિ ક્રિયા વિના સીધા ઉત્પન્ન થવું એ ઉપપાત ક્રિયા છે. '
- શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર તથા શ્રી પ્રવચન સારોદ્ધાર સૂત્રમાં ૮૪ લાખ યોનિ બતાવી છે. આજીવિક સંપ્રદાય પણ યોનિની સંખ્યા ચોરાશી લાખા માને છે. હિંદુશાસ્ત્રમાં પણ યોનિની સંખ્યા ચોરાશી લાખ જ છે. : દેવોને ચાર લાખ યોનિ છે. ભુવનપતિ આદિ ચારે જાતિનાં દેવોમાં જે યોનિ સમાન સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને આકારવાળી હોય તેને એક સ્થાન-ભેદ ગણવામાં આવે છે. જેમ સરખા રંગવાળા સેંકડો ઘોડાઓ પણ જાતિની અપેક્ષાએ એક જ જાતિના ગણાય છે, તેમ જીવોને ઉત્પન્ન થવાના સ્થાન અલગ અલગ હોવા છતાં જીવાયોનિ ૮૪ લાખ છે. દેવો ચાર લાખ યોનિઓમાં જન્મ ધારણ કરે છે.
યોનિ આપણને કર્મની વિચિત્રતાનું જ્ઞાન કરાવે છે. એ દષ્ટિએ તેમાં વિજ્ઞાન અને ઉપદેશ. તત્ત્વ સમાયેલું છે, તેથી જ કહ્યું છેઃ
અનેકઊંચનીચ યોનિમેં રહા કભી, જ્ઞાન બિન જન્મ વૃથા હો ગયે સભી;
મિલતી હૈ મનુષ્ય કાયા કભી કભી, જરૂર પુણ્યકા જમાવ હોતા હે જભી. છે. મનુષ્યમાં જિનેશ્વરનાં વચનોનું શરણ સ્વીકારનાર ભવ્યાત્મા અતિ દુઃખદાયક, નિકૃષ્ટ યોનિઓનું અવતરણ ઘટાડી સદાને માટે જન્મ-મરણની શૃંખલામાંથી મુક્ત બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org