SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જેના વડે જીવ પ્રસ્તુત ભવમાં અમુક સમય સુધી ટકી શકે તેને આયુષ્ય કહેવાય. આયુષ્યના બે પ્રકાર છે. ૧) દ્રવ્યાયુષ્ય, ૨) કાલોયુષ્ય. આયુષ્ય કર્મના પુદ્ગલો તે દ્રવ્યાયુષ્ય છે. તે પુદ્ગલો વડે જીવ જેટલા કાળ સુધી વિવક્ષિત ભવમાં ટકી શકે તે કાલાયુષ્ય કહેવાય છે. અર્થાત્ આયુષ્ય કર્મના દલિકો વિના જીવ જીવી શકતો નથી. દ્રવ્યાયુષ્ય જીવને આવશ્ય પૂર્ણ કરવું જ પડે છે. કાલાયુષ્ય પૂર્ણ કરે અથવા ન પણ કરે કારણકે કાલાયુષ્ય અપવર્તનીય હોય તો શસ્ત્રાદિના ઘાતથી તૂટે છે, જ્યારે અનપવર્તનીય આયુષ્ય પૂર્ણ કરીને જ મૃત્યુ પામે. અપવર્તનીય આયુષ્ય સોપકર્મી છે જ્યારે અનપવર્તનીય આયુષ્ય સોપકર્મી અને નિરુપક્રમી છે. શાસ્ત્રાદિ બાહ્ય નિમિત્તથી આયુષ્ય ક્ષય થાય તે સોપક્રમ આયુષ્ય છે. બાહ્ય નિમિત્ત વિના જ જે આયુષ્યનો ક્ષય થાય તે નિરુપમ આયુષ્ય છે. જેમ પ મીટર લાંબી દોરી એક છેડેથી બાળવામાં આવે તો બીજા છેડા સુધી બળતાં વધુ સમય લાગે પરંતુ તે જ દોરીને ગૂંચળું વાળીને બાળીએ તો જલ્દી બળી જાય, તેમ સોપકમી આયુષ્ય લાંબી દોરીને બાળવા સમાન છે પરંતુ સોપક્રમી આયુષ્ય કારણોથી ઉપઘાત પામે છે. તે ગૂંચળું વાળીને દોરી બાળવા સમાન છે. (૧) પ્રબળ અધ્યવસાયથી (અત્યંત કામાસકિત, પ્રિયવિયોગથી) (૨) નિમિત્તથી (પ્રકાર, વિષપાન) (૩) આહારથી (અહિતકર આહારથી) (૪) વેદનાથી (શૂલાદિ ભયંકર વ્યાધિથી) (૫) પરાઘાતથી (પર્વત પરથી ઝંપાપાત) (૬) ઝેરી પદાર્થના સ્પર્શથી (ડંખ ઈત્યાદિ) (0) આણ પ્રાણથી (શ્વાસનું રુંધન, ફાંસો આદિ). આ સાત સ્થાનો શ્રી ઠાણાંગ સૂત્ર, સ્થાન.માં છે. દેવો નિરુપક્રમ અનપવર્તનીત આયુષ્યવાળા છે. દેવવિશેષ જઘન્ય આયુષ્ય , ઉત્કૃષ્ટ આયુષ્ય સૌધર્મદિવલોકના દેવા ૧ પલ્યોપમાં ૨ સાગરોપમ ઈશાન દેવલોકના દેવા ૧ પલ્યોપમ અધિક ૨ સાગરોપમ ઝાઝેરી સન્તકુમાર દેવલોકના દેવ ૨ સાગરોપમ . ૦ સાગરોપમાં મહેન્દ્ર દેવલોકના દેવ ૨ સાગરોપમ ઝાઝેરી ૦ સાગરોપમ ઝાઝેરી બ્રહ્મ દેવલોકના દેવ ૦ સાગરોપમાં ૧૦ સાગરોપમ લાંતક દેવલોકના દેવ ૧૦ સાગરોપમાં ૧૪ સાગરોપમ શુક્ર દેવલોકના દેવા ૧૪ સાગરોપમ ૧૦ સાગરોપમ સહસ્ત્રાર દેવલોકના દેવ ૧૦ સાગરોપમ ૧૮ સાગરોપમ આણત દેવલોકના દેવા ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ પ્રાણત દેવલોકના દેવ ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમાં આરણ દેવલોકના દેવા ૨૦ સાગરોપમાં ૨૧ સાગરોપમાં અશ્રુત દેવલોકના દેવ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ સુદર્શન ચૈવેયક ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy