SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ અથવાં મુનઇ ઝાલવા, માડઇ મંત્રીએ પાસ રે; તે કયમ જાણીઇ આહા કર્ણિ, બુધિ ઉપની તાસ રે સા. ...૧૪૦ કાંટો પગ થકી કાઢતા, સૂણી વીરની વાય રે; દેવ વરણવ કરયુ અતી ઘણું, હીડયો રીદઇઅમાં આણ્ય રે સા. ..૧૪૧ સોય સરુપ દેખુ અહી, તો તો બોલષ્ણુ સાચરે; નહીતરિ ઉત્તર આપજ્યું, બોલું કુડીઅ વાચરે સા. ...૧૪૨ અર્થ: તમને ભવ્ય નાટક દેખાડી તમારા મનનું મનોરંજન કરી અમે તમારી અપાર ભક્તિ કરીએ છીએ. આ તો દેવલોકનો આચાર છે. તેનું અમે પાલન કરીએ છીએ.” રોહિણેયકુમાર આ સાંભળી વિચાર કરવા લાગ્યો. ...૧૩૬ રોહિણેયકુમારે આતુર બની પૂછ્યું, “સુંદરીઓ! એવું શું હોય જેનું તમારે પાલન કરવું પડે?” અપ્સરાએ કહ્યું, “અમે તો ભૂલી જ ગયા છીએ.” ત્યારે પ્રતીહારે (ગાંધર્વ કન્યાઓની સમીપમાં જઈધીરેથી) કહ્યું, “સાંભળો ! હું તમને તે વિષે કહું છું. (પછી પ્રગટપણે કહ્યું) ..૧૩૦ જે નવા દેવ વિમાનમાં ઉત્પન્ન થાય છે તેઓ સર્વ પ્રથમ પોતાનાં (પૂર્વજન્મનાં) દુષ્કૃત્યો અર્થા પાપોનું પ્રગટીકરણ કરે છે. વિવરણ કરી પછી જ દેવીઓ સાથે સ્વર્ગના સુખો ભોગવી શકે છે, તે પહેલાં નહીં. તમે પણ પાપ અને પુણ્ય કહી દેવીઓ સાથે સુખ-ભોગો વિલસો.” ૧૩૮ રોહિણેયકુમારે (સભાન સ્થિતિમાં) સ્વગત મનમાં ચિંતવન કર્યું કે, 'શું હું ખરેખર દેવતા થયો છું? શું સ્વર્ગીય ઉન્માદમાં મત્ત બનેલો આ દેવગણ પ્રત્યક્ષ ઉપસ્થિત છે? શું હું સુકૃત્ય અને દુષ્કૃત્ય કહી પછી દેવતાનાં સુખો ભોગવું? આ સત્ય હશે કે અસત્ય? ...૧૩૯ અથવા મને પકડવા માટે મહામંત્રી અભયકુમારે કોઈ પ્રપંચ (છટકું ગોઠવ્યો હશે? તેની મને ખાત્રી અહીં કેવી રીતે થશે?' રોહિણેયકુમાર આ રીતે વિચારતો હતો ત્યાં તેને અચાનક મતિ "ઉત્પન્ન થઈ. ...૧૪૦ : (તે દિવસે) પગમાંથી કાંટો કાઢતી વખતે સંભળાયેલા ભગવાન મહાવીર સ્વામીનાં (થોડાંક) વેણ કાને પડેલાં, જેમાં ભગવાને દેવોનું ઘણું સ્વરૂપ વર્ણવ્યું હતું. તે વચનો હૃદયમાં કોતરાઈ ગયાં હતાં, જેને તેણે યાદ કર્યા. ...૧૪૧ તે વર્ણન અનુસાર જો દેવતાનાં લક્ષણો હું અહીં જોઈશ તો હું જેવું છે તેવું સત્ય બોલીશ, અન્યથા અસત્યનું આલંબન લઈ તે પ્રમાણે વચન કહીશ. ...૧૪૨ વિવેચન પ્રસ્તુત ઢાળ ૫ અને ૬માં રોહિણેયકુમારે અવિધિએ કરેલી જિનપૂજા તેમજ તેને પકડવા રચાયેલી વ્યુહરચનાનું કવિએ સરળ ભાષામાં રોચક વર્ણન કર્યું છે. જ્યારે અભયકુમાર સામાયિક, પૌષધ ઈત્યાદિ વ્રત કરતા ત્યારે રોહિણેયકુમાર પણ તેમની સાથે શ્રાવકની કરણી કરતો પણ તેના મનોગત ભાવ કોઈ કળી શક્યું નહીં. તે દેખાવનો શ્રાવક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy