________________
૧૦૨
જગ્યાએ વિવિધતાઓ જોવા મળે છે. ક્યારેક રાસકૃતિને રસપ્રદ બનાવવા કલ્પના કરવામાં આવે છે.
નગરજનો અને શ્રેષ્ઠીવર્યો નિત્ય નિયમથી થતી ચોરીઓથી કંટાળ્યા. રાજ્યમાં ભયનું વાતાવરણ પ્રસર્યું. નગરરક્ષકોએ પોતાની અસમર્થતા પ્રગટ કરી, ત્યારે નાગરિકો મગધ નરેશ શ્રેણિકના દરબારમાં પહોંચ્યા. તેમણે વ્યથિત હદયે કહ્યું, “અન્નદાતા ! અમારા દાણા-પાણી હરામ થયા છે. હવે અમે આ રાજયમાં નહીં રહી શકીએ કારણકે અમે નિત્ય લૂંટાઈએ છીએ. અમારું જાગરણ પણ વ્યર્થ છે. આપના સેવકો પણ અમારી સુરક્ષા કરવામાં અસમર્થ છે તેથી કાં તો તમે રોહિણેય ચોરને પકડો અથવા અહીંથી અમને સ્થળાંતર કરવાની અનુમતિ આપો.”
દુહા : ૬ નગર લોકસેઠી મલી, જઈ વીનવી ઉંરાય;
કઈ ઝાલો રોહણ તણઈ, કઈ અમ કરો વીદાયા
નગરજનો, વેપારીઓ તથા શ્રેષ્ઠીઓએ રાજાને વિનંતી કરી “હે દેવ ! કાં તો દુરામાં રોહિણેયકુમારને પકડો અથવા અમને આ નગર છોડી અન્યત્ર જવાની આજ્ઞા આપો. (કારણકે રોહિણેય ચોરધન, અશ્વ, સંતાન અને સ્ત્રીની ઉઠાંતરી અને અપહરણ હંમેશાં કરે છે.)” ૯૪
ચોપાઈ : ૨ મહામાત્યની કુશળ રાજનીતિ કઈ અમ રાજા કરો વીદાય, નાથ થકાતસકરલેઈ જાઈ; સુણતા ખીજ્યો શ્રેણીક રાય, ઠંડી તેડ્યો તેણઈ હાય તસકર માંહા લઈ પાંતી ખરી, કે તાહરો છઈ તે ગોત્તરી; ખાઈ ગરાસ ગામ નઈ વરતિ, ચોર તણી તુ ન કરઈ નર તિ ઠંડી બોલ્યો નરપતિ ભણી, રોહણીઉ વીધાનો ધણી; તેણઈ મર્દ તે ઝાલ્યો નવી જાય, વીજ પરિ ભડકો થઈ જાય જાઈ આ ઘરનો પેલંઈ ધરિ, કોટ ઉલંઘઈ વાનર પરઈ; . તે માટઈ ઝાલ્યો નવિ જાય, ઠંડી પ લીજઈ તુમ રાયા ભુપતિ મંત્રી સાહામુ જોય, અભઈકુમાર કહઈ ઝાલુ સોય; કોટવાલ નઈ મંત્રી કહઈ, તુ સજ થઈ ગઢ બાહઈરિ રહઈ મહિનો ત્રાસવ્યો આવસઈ બહારિ, તસકર નઈ ઝાલે તેણઈ ઠારિ ચતુરંગી સેન્થા લેઈ કરી, ઠંડી ગઢ પાછલ રહ્યો ફરી; કપટ ભેદ ચોરઈ નવી લહ્યો, તેણઈ દીન ગામાઅતરી ગયો
•...૧૦૧ દીવસંઈ નગર તણો ચર સંચ, જોઈ નોહોતો ગયો પરપંચ; રાતિં ચોરી કરવા ગયો, માંહિ તો ઘેરયો બાહઈરિ વહ્યો. કુડઈ પડ્યો મછો યમ જાલ, ઠંડીઈ ઝાલ્યો તતકાલ; રાજા આગલિ રાખ્યો જસઈ, ચોર દંડ કહઈ કી જઈ તસઈં મંત્રી કહઈ નવિ કી જઈ કાહાર, રાખી જઈ નર કરી વીચાર; તવ રાજા પૂછઈ તેણઈ ઠામ્ય, નગર માહિ આવ્યો કુણ કામ્ય
.૯૯
૧૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org