SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સંબોધ પ્રકરણ ૭. આચાર્ય ભગવંતો, ૮. ઉપાધ્યાય ભગવંતો, ૯. પ્રવચન એટલે અહીં જીવાદિ તત્ત્વોને જણાવે તે “શાસન' (અથવા તેના આધારભૂત શ્રીસંઘ) અને ૧૦. દર્શન એટલે સમકિત તથા ગુણ-ગુણીના અભેદ ઉપચારથી સમકિતવંત આત્માઓ. એ દશેયનો ૧. ભક્તિ, ૨. પૂજા, ૩. પ્રશંસા, ૪. નિંદાનો પરિવાર અને ૫. આશાતનાનો ત્યાગ–એ પાંચ રીતે વિનય કરવો. તે દશ પ્રકારો વિનયના જાણવા. તેમાં ૧. “ભક્તિ” એટલે આવતાની સામે જવું, આવે ત્યારે આસન આપવું, શારીરિક વગેરે સેવા કરવી, બે હાથ વગેરેથી પ્રણામ કરવો, જાય ત્યારે વળાવવા જવું, ઇત્યાદિ (અંતરમાં બહુમાનપૂર્વક) અનેક પ્રકારની યથાયોગ્ય બાહ્ય સેવા. ૨. પૂજા' એટલે વસ્ત્ર, પાત્ર, અન્નપાનાદિ આપવારૂપ સત્કાર. ૩. “પ્રશંસા એટલે સ્વમુખે તેઓના ગુણો વગેરેની પ્રશંસા કરવી-કીર્તિ વધારવી. ૪. “નિંદાપરિહાર' એટલે છતા કે અછતા પણ દોષો પ્રગટપણે બીજાની આગળ કહેવા નહિ-નિંદા ન કરવી અને ૫. “આશાતનાનો ત્યાગ એટલે દેવની ૮૪, ગુરુની૩૩,વગેરે શાસ્ત્રોમાં કહેલીદશેયનnતેઆશાતનાઓનો ત્યાગ કરવો. (૬૩-૬૪) (પ્રવચન સારોદ્ધાર ગા-૯૩૦-૯૩૧) मण १ वाया २ कायाणं ३, सुद्धी सम्मत्तसोहणी जत्थ । मणसुद्धी जिणजिणमयवज्जमसारं मुणइ लोयं ॥६५॥ મનો-વાવ-કાયાનાં શુદ્ધિ સચવત્વશોધની યત્રા મન:શુદ્ધિનન-નિગમતવર્ગમાં નાનાતિ નોરમ્ | 4 | . ૧ર૭ ગાથાર્થ– મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ એમ સમ્યકત્વને શુદ્ધ કરનારી ત્રણ પ્રકારની શુદ્ધિ છે. જે જીવ જિન અને જિનમતને છોડીને (શેષ) લોકને અસાર જાણે(=માને) તેનામાં મનશુદ્ધિ છે. (૬૫) तित्थंकरचलणाराहणेणं जं मज्झ सिज्जइ न कज्जं। पत्थेमि तत्थ नन्ने, देवविसेसे हि वयसुद्धी ॥६६॥ तीर्थङ्करचरणाराधनेन यद् मम सिध्यति न कार्यम् । પ્રાર્થથમિ તત્ર નાચીન વિશેષાનું ઉલુ વવ:શુદ્ધિઃ || ૬૬ I....૨૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy