SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ - સંબોધ પ્રકરણ કરનારો. આલોચકમાં જેવું સામર્થ્ય હોય તેને અનુસાર પ્રાયશ્ચિત્ત આપનારો. (૭) વાયલી’=“અપાયોનો જાણ', અર્થાત્ દુષ્કાર, શરીરનું દૌર્બલ્ય વગેરે (આલોચકને દોષ સેવવામાં હેતુભૂત બનેલા) ઐહિક કારણોને સમજનાર, અથવા બીજો અર્થ ‘અપાયોને દેખાડનાર આલોચકને તેણે સેવેલા અતિચારોને યોગે ભાવિકાળે થનારા “દુર્લભ બોધિપણું વગેરે અપાયોને સમજાવનાર. આ કારણથી જ તે આલોચકને ઉપકારક થાય છે. (૮) પરિસાવી =બીજાને નહિ સંભળાવનાર, અર્થાત્ આલોચકે કહેલા દોષો બીજા કોઈને નહિ કહેનારો. આલોચકના દોષો જાણીને જે અન્યને કહે, તે આલોચકની નિન્દા-લઘુતા કરાવનાર થાય. એ આઠ ગુણવાળા ગુરુને શ્રી જિનેશ્વરોએ આલોચનાચાર્ય કહ્યો છે.આ આઠ ગુણોથી યુક્ત આચાર્ય વગેરે આલોચકના અપરાધોની યથાર્થ શુદ્ધિ કરાવે છે. માટે આ આઠ ગુણો શુદ્ધિજનક છે. (૪૭): आलोयणपडिक्कमणे, मीसविवेगे तहा विउस्सग्गे। तवच्छेयमूलअणव-ट्ठिया य पारंचियं चेव ॥४८॥ आलोचन-प्रतिक्रमणे, मिश्र-विवेकौ तथा व्युत्सर्गः । તપશ્કેઃ-મૂતાડનવસ્થાપિતાનિ પશિવં ચૈવ ા ૪૮ .... ૫ર ગાથાર્થ– આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક એમ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે. (૪૮) आलोइज्जइ गुरुणो, पुरओ कज्जेण हत्थसयगमणे। समिइपमुहाण मिच्छा-करणे कीड़ पडिक्कमणं ॥४९॥ आलोच्यते गुरोः पुरतः कार्येण हस्तशतगमने । સમિતિપ્રમુai fમધ્યાને યિતે પ્રતિક્રમણમ્ II 89 II ..... ૧ર૬ ગાથાર્થ કાર્ય માટે સો હાથથી દૂર જવામાં ગુરુની સમક્ષ અતિચારોની આલોચના કરાય અતિચારો પ્રગટ કરાય તે આલોચના પ્રાયશ્ચિત્ત છે, સમિતિ વગેરેમાં અતિચાર લાગે ત્યારે ગુરુની સમક્ષ આલોચના કર્યા વિના) મિચ્છા મિ દુક્કડ કરવામાં=બોલવામાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરાય છે. (૪૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy