SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ અધિકાર ૨૭૩ બને તો બીજા સાધુના ઉત્કર્ષને જોઈ ન શકે. તેથી તેને પાછા પાડવાની હલકી પ્રવૃત્તિ કરે.) કૃપણ ધન વગેરે ઘણું મળ્યું હોવા છતાં બીજાને આપવાનું મન ન થાય. સદુપયોગ કરવાનું મન ન થાય. આવો આત્મા સાધુ બને તો પણ પોતાના પાત્રા આદિ બીજાને ન આપે. ભવાભિનંદી-સંસાર ઉપર બહુમાનવાળો હોય. (ભવાભિનંદી શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે–ભવની=સંસારની અભિનંદી પ્રશંસા કરવાના સ્વભાવવાળો. અથવા ભવમાં=સંસારમાં અભિનંદી-આનંદ પામવાના સ્વભાવવાળો. ભવાભિનંદી જીવ સંસારમાં વિષયસુખ અનુભવી શકાતું હોવાથી સંસાર સારભૂત છે ઇત્યાદિ રીતે સંસારની પ્રશંસા કરે, તથા વિષયસુખોના કારણે તેને સંસારમાં બહુ જ આનંદ આવતો હોય.) માની– અહંકારથી યુક્ત હોય. તેનામાં નમ્રતા દેખાય તો પણ પોતાનો સ્વાર્થ સાધવા બહારથી દેખાવની હોય, અંતરની નહિ. નિષ્ફળ આરંભયુક્ત ફળ ન મળે તેવી પ્રવૃત્તિ કરનારો. (અહીં આધ્યાત્મિક ફળ સમજવું. તે વેપાર આદિમાં સફળ બને એવું બને. પણ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સફળ ન બને. સાધુધર્મની કે ગૃહસ્થ ધર્મની જે કોઈ પ્રવૃત્તિ કરે તે નિષ્ફળ બને. કારણ કે તે અતત્ત્વમાં અભિનિવેશવાળો હોય.) (૨૬) . अत्तुक्करिसं अत्तंमि, न धरई लोगुत्तरंमि पक्खवहो । पच्छाणुतावनिरओ, साणुक्कोसो य लोयगुणो ॥२७॥ • 'आत्मोत्कर्षमात्मनि न धारयति लोकोत्तरे पक्षवहः । પશાનતા પરિતો સાનુક્રોશ : | ર૭ |............. ૪૩ ' ગાથાર્થ(વેદ્યસંવેદ્યપદનાં લક્ષણોથી યુક્તજીવ) આત્મામાં સ્વોત્કર્ષને ધારણ ન કરે, લોકોત્તર ગુણોમાં પક્ષપાત ધારણ કરે, પશ્ચાત્તાપમાં તત્પર હોય, અર્થાત્ પાપનો પશ્ચાત્તાપ કરનારો હોય, દયાળુ અને જીવોનું હિત કરનારો હોય. (૨૭) इच्चाइणेगपवयणगुणविहिनिरओ (प)नमणतल्लिच्छो। ।। વેળપત્રિકાનુત્તો, વિવરીમોડવેન્નાથનુત્તt i ર૮. Jain Education International. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy