________________
૨
)
સંબોધ પ્રકરણ तिविहअवंचकजोग-किरियाफलमाइओसहाईहिं । दाणविणयाइजुत्तो, नाणगुणवुड्डिकरणरओ ॥२१॥ त्रिविधावञ्चकयोगक्रियाफलादि औषधादिभिः । નાનવિનયાતિયુwો જ્ઞાનગુણવૃદ્ધિારરત: II ર8 II .............. ૨૪૪૭
ગાથાર્થ તે જીવ ઔષધાદિથી યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક એમ ત્રણ પ્રકારના અવંચકવાળો હોય તથા દાન-વિનય આદિથી યુક્ત હોય, જ્ઞાનગુણને વધારવામાં તત્પર હોય. વિશેષાર્થ– સુસાધુઓનો યોગ થવો એ યોગાવંચક છે. આત્મહિતના ધ્યેયથી ઔષધપ્રદાન આદિથી સાધુઓની સેવા કરવી તે ક્રિયાવંચક છે. સાધુસેવાથી પુણ્યાનુબંધી પુણ્ય આદિ ફળની પ્રાપ્તિ એ ફલાવંચક છે. આ ત્રણ અવંચકને વિશેષથી સમજવા યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ ગાથા ૩૪ વગેરે ગાથાઓની સંસ્કૃત ટીકા કે તેનો અનુવાદ વાંચવો જરૂરી છે. (૨૧)
पुव्वाइसुयमाहिज्जइ गंथं वियारं कहेइ बंधेइ। केवलमभव्वमिच्छो, पुव्वं न मुणेइ नो गंथं ॥२२॥ पूर्वादिश्रुतमध्येति ग्रन्थं विचारं कथयति बध्नाति । केवलमभव्यमिथ्यादृष्टिः पूर्वं न जानाति न ग्रन्थम् ॥ २२ ॥...... १४४८ ગાથાર્થ– તે પૂર્વ વગેરે શ્રુતને ભણે છે. શાસ્ત્ર અને વિચાર-વિમર્શ બીજાને કહે છે, શાસ્ત્રનો અને વિચાર-વિમર્શનો પોતાના આત્માની સાથે સંબંધ કરે છે, અર્થાત્ માત્ર બીજાને જ કહે છે, એવું નથી, પોતાના આત્મહિત માટે પણ વિચારે છે. કેવળ અભવ્ય મિથ્યાષ્ટિ પૂર્વને જાણતો નથી અને શાસ્ત્રને જાણતો નથી.
વિશેષાર્થ– અભવ્ય મિથ્યાષ્ટિ સાડા નવ પૂર્વ સુધી ભણે છે એવા શાસ્ત્રપાઠો જોવા મળે છે. એથી પૂર્વ અને શાસ્ત્રને જાણતો નથી એ કથન નિશ્ચય દૃષ્ટિથી સમજવું જોઈએ. જે જ્ઞાનની આત્મા ઉપર જરા ય અસર ન થાય એ જ્ઞાન જ નથી એમ નિશ્ચય નય માને છે. (૨૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org