________________
૧૯૬
સંબોધ પ્રકરણ
न्हाणुव्वट्टणवन्नग-विलेवणे सहरूवरसगंधे। बत्थासण आभरणे पावुवएसमणेगविहं॥१०१॥ સ્ત્રાનોર્વર્તન-વ-વિત્તપને સદ્---ળે ! વસ્ત્રા-ડડસના-55મને પાપોદ્દેશોડનેવિધ | ૨૦૨ ૨૨૨
ગાથાર્થ– “વ્હાપુāળ =સ્નાન અને ઉદ્વર્તન, તેમાં ત્રસજીવોવાળી જમીન ઉપર, અથવા ઉડતા જીવો પાણી વગેરેમાં પડે તેવા સમયે, કે વસથી પાણીને ગાળ્યા વિના, એમ જયણા વિના શરીર ચોળવાપૂર્વક સ્નાન કરવાથી જે કર્મ બાંધ્યું, તથા જીવયુક્ત ચૂર્ણ (શરીર ચોળવાની પીઠી) વગેરેનું શરીર ઉદ્વર્તન કરવું-શરીરે ચોળવું અને ચોળ્યા પછી શરીરથી ઉતારેલી તે વસ્તુઓને રાખમાં નહિ રાખતાં જ્યાં-ત્યાં નાખવાથી તેની ઉપર કીડીઓ વગેરે ચઢે અને કૂતરાં વગેરે તેનું ભક્ષણ કરે, અથવા જતા-આવતા માણસોના પગ નીચે કચરાવાથી તે જીવો મરી જાય, એમ જયણા વિના ઉદ્વર્તન કરવાથી જે કર્મ બાંધ્યું, ‘વ’=કસ્તુરી આદિથી શરીરે વર્ણશોભા કરી, વિન્ટેવો’=કંકુ-ચંદન-બરાસ વગેરેનું શરીરે વિલેપન કર્યું, એ વર્ણ અને વિલેપનમાં ઉડતા જીવો પડવા વગેરેથી વિરાધના થાય તેમ અયતનાથી કર્યા. તથા “=(કુતૂહલથી) વીણાવાંસળી વગેરેના શબ્દ સાંભળ્યા, વળી ‘વ’=નટ વગેરેનાં રૂપો જોયાં (અર્થાતુ-નાટક-સીનેમા-સરકસ-ભવાઈ-તમાસા-નટ-ભાંડ-ભવૈયાના ચાળા કે મદારીની રમત વગેરે જોયાં), “રા'=સાંભળનારને પણ આસક્તિ થાય તેમ તે તે ખાદ્ય વસ્તુના સ્વાદનું વર્ણન કર્યું,
ધે =બીજાને આસક્તિ થાય તેમ ગંધની પ્રશંસા કરી, તથા વસ્થા સામ્રામર' =વસ્ત્ર, આસન, આભરણ (આભૂષણઅલંકારાદિ)નું પણ આસક્તિ વધે તેમ વર્ણન (વર્તન) કર્યું, શબ્દ-રૂપ વગેરે પાંચેય ઇન્દ્રિયોન વિષયો જણાવેલા હોવાથી તેના સજાતિય સુરાપાન, વિષયસેવન, કષાય, નિદ્રા અને વિકથા–એ પાંચેય પ્રમાદો સમજી લેવા; અથવા તો આળસ-પ્રમાદથી તેલ વગેરેનાં ભાજન ખૂલ્લાં રાખ્યા વગેરે અહીં જણાવ્યું તે સઘળું પ્રમાદાચરિત' જાણવું તથા પાપોપદેશ અનેક પ્રકારનો છે. (૧૦૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org