SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ શ્રાવક વ્રત અધિકાર सामी अदत्तं सड्डाण, पडिसेहो थूलओ जईण पुणो। सव्वमदिनादाणं, चउप्पयारं भवे जम्हा ॥२७॥ स्वाम्यदत्तं श्रद्धानां प्रतिषेधः स्थूलतो यतीनां पुनः । સર્વત્તાવાસં વતુwાર પવે યમ્મા ર૭ | ૨૩૪૭ ગાથાર્થ શ્રાવકોને ચાર પ્રકારના અદત્તમાં સ્વામી અદત્ત રૂપ સ્કૂલ અદત્તના ગ્રહણનો નિષેધ છે. ચારે પ્રકારના અદત્તના ગ્રહણનો પ્રતિષેધ સાધુઓને હોય. વિશેષાર્થ– ઉપરનાં ચાર અદત્તાદાનો પૈકી શ્રાવકને સ્વામી અદત્તને અંગે જ વિરતિ થઈ શકે છે, તે સ્વામી અદત્ત બે પ્રકારનું છે. ૧. સ્કૂલ અને ૨. સૂક્ષ્મ. તેમાં બહુમૂલ્ય મોટી વસ્તુ કહ્યા વિના લેવાથી ચોરીનું કલંક લાગે, તેથી શ્રી જિનેશ્વરોએ માલિકની રજા વિના તેને લેવાનો નિષેધ કર્યો છે–એમ સમજવા છતાં પણ સંમતિ વિના ગ્રહણ કરે, ત્યારે લેનારના અધ્યવસાયો ઘણા દુષ્ટ (ચોરીના) હોવાથી તે “સ્કૂલ” કહેવાય છે. એ પ્રમાણે ખેતર-ખળા વગેરેમાંથી પણ થોડું ચોરીની બુદ્ધિથી ગુપ્ત રીતિએ ગ્રહણ કરે, તો તે પણ દુષ્ટ આશયપૂર્વક લેવાતું હોઈ સ્કૂલ અદત્તાદાન કર્યું છે. તેનાથી વિપરીત એટલે ચોરી કરવાની બુદ્ધિ વિના સામાન્ય ઘાસ, માટીનું ઢેડું, રાખ વગેરે વસ્તુ લેવી તે સૂક્ષ્મ-નાનું અદત્તાદાન સમજવું. આ બેમાં સૂક્ષ્મ અદત્તાદાનની યાતના રાખી શ્રાવકને માત્ર સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ થઈ શકે છે. (૨૭) ... चोराणीयं १ चोरप्पओगगं २ कूडमाणतुलकरणं च ३। _____ रिउरज्जववहारो ४ सरिसजुई ५ तइयवयदोसा ॥२८॥ चोरानीतं चोरप्रयोगकं कूटमानतुलकरणं च। । fપુરાવ્યવહાર સદશયુતિતૃતીયવ્રતોષા: II ર૮ I ... ૨૨૪૮ ગાથાર્થ– ચોરાનીત, ચોરપ્રયોગ, કૂટતુલા-કૂટમાન, શત્રુરાજય વ્યવહાર અને સમાનયુતિ એ પાંચ ત્રીજા અણુવ્રતના અતિચારો છે. વિશેષાર્થ-શ્રાવકત્રીજા અણુવ્રતમાં સ્તનાહત, તસ્કરપ્રયોગ, વિરુદ્ધરાજ્યાતિક્રમ, કૂટતુલકૂટમાન અને તત્વતિરૂપ વ્યવહાર એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy