SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૧૫ નિરતિચારપણે તે તે ધર્મક્રિયાઓ કરે, ભોળા-અજ્ઞ માણસો તેથી હાંસી કરે તો પણ તેની ઉપેક્ષા કરતો ક્રિયાને મહાકલ્યાણકારી સમજતો છોડે નહિ. પૂર્ણ કરે-વારંવાર કરે. ૧૩. રાગ-દ્વેષનો ત્યાગ– માત્ર શરીર ટકાવવાના સાધનભૂત માની, ધન, સ્વજન, આહાર, ઘર વગેરે સંસારગત પદાર્થોમાં રાગ-દ્વેષ ન કરે, તે બધુ અનુકૂળ હોય તો આનંદ ન માને તેમ પ્રતિકૂળ કે ઓછું હોય તો ક્લેશ ન કરે, સારા-નરસા દરેક પ્રસંગોમાં સમતા સેવે. ૧૪. દુરાગ્રહનો ત્યાગ“ઉપશમ એ જ ધર્મનો સાર છે' એમ સમજતો આત્મહિતનો અર્થી ભાવશ્રાવક ધર્મવિષયમાં રાગ-દ્વેષથી દુરાગ્રહ ન કરે, પણ સર્વ વિષયમાં અસદ્ આગ્રહને છોડે, સત્યનો આગ્રહ રાખે, મધ્યસ્થ રહે, પણ પોતાનું જ સાચું એમ ન માને. ૧૫. સ્વજનાદિ સંબંધની પરકીયતા– સઘળા પદાર્થો ક્ષણભંગુર છેઅનિત્ય છે, એમ સમજતો ધન-સ્વજન વગેરેનો બાહ્ય સંબંધ રાખવા છતાં તેને અત્માથી પર-પારકાં માને. ૧૬. વિષયો- સંસારસુખમાં વિરાગી બનેલો હોવાથી “પાંચેય ઈન્દ્રિયના ભોગોને ભોગવવા છતાં કદી તૃપ્તિ થતી જ નથી' એમ સમજી ભોગવે તો પણ તે માત્ર બીજાઓની દાક્ષિણ્યતાથી ભોગવે, અસાર માનતો પોતે તેમાં રસ-આનંદ ન માને, તીવ્ર આસક્તિ ન કરે. મૈથુનાદિને સેવવાં પડે તો પણ વ્યભિચારથી બચવા-બચાવવા માટે અનાસક્તભાવે સેવે. ૧૭. ગૃહસ્થપણાનું પાલન ગૃહસ્થપણાનાં કાર્યોને “આજે છોડુંકાલે છોડું. એમ છોડવાની ભાવનાપૂર્વક, પારકી મહેનત-વેઠરૂપે માનતો, વેશ્યાની માફક, ઘરવાસને પ્રેમ વિના સંભાળે. આ પ્રમાણે સામાન્યથી ભાવશ્રાવકની ભાવનારૂપ સત્તર લક્ષણો જાણવા. (૭૫-૭૬-૭૭). एयस्स य लिंगाई, सयला मग्गाणुसारिणी किरिया १। सद्धा पंवरा धम्मे २, पण्णवणिज्जत्तमुजुभावा ३ ॥७८ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy