SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨૮૫ સ્થાપનાદોષમાં ત્રણ ઘરોની અંદર કરેલી સ્થાપના ઇત્વરી (અલ્પકાલીન) હોવાથી, તેને “કચ્છ જણાવેલી હોવા છતાં પુનઃ અભ્યાહતમાં ત્રણ ઘરોની અંદરથી આવેલું “આશીર્ષ' કહ્યું. તેમાં એ કારણ સમજવું કેસ્થાપનામાં અલ્પકાળની અને અભ્યાહતમાં અલ્પષેત્રની, એમ બંનેમાં જુદી જુદી અપેક્ષા (હોવાથી ભિન્નતા) છે. (૧૨) ઉભિન્ન- વસ્તુને ઉઘાડી-ઉખેડીને આપે, તે ઉદૂભિન્ન કહેવાય. જેમ કે—કોઈ ગોળ, ઘી વગેરેના ભાજનને માટી વગેરેથી લીંપીને બંધ કર્યું હોય, તે ઉપરની માટી વગેરે ઉખેડીને તેમાંથી વસ્તુ વહોરાવે ત્યારે આ દોષ લાગે. (અહીં ગાંઠ છોડીને પોટકીમાંથી, તાળું ઉઘાડીને પેટી-કબાટ વગેરેમાંથી, ઇત્યાદિ પણ ઉભિન્ન સમજી લેવું.) (૧૩) માલાપહત– “માલા” એટલે “છીંકુ-માળિયું-છાજલી વગેરે. તેમાંથી “અપહૃત' એટલે સાધુ માટે લાવેલું, તે “માલા+અપહત“માલાપહૃત' સમજવું. તેના ઊર્ધ્વસ્થિત, અપસ્થિત, ઉભયસ્થિત તિર્યસ્થિત, એમ ચાર ભેદો છે. તેમાં ૧. અટ્ટાલીમાં-છાજલીમાંમાળિયા-મેડા ઉપર કે છીંકા વગેરેમાં મૂકેલું હોય, ત્યાંથી લઈને વહોરાવે, તે ઊર્ધ્વસ્થિત માલાપહત', ૨. ભોંયરા વગેરેમાં નીચે મૂકેલું લાવીને વહોરાવે, તે “અધઃસ્થિત માલાપહત', ૩. કોઠાર, કોઠી (ઉંચી પેટી-પટારા) વગેરેમાં મૂકેલું હોય, કે જેને લેતાં બહારથી પગની (પાનીઓ) અદ્ધર કરી ઉંચા થવું પડે અને અંદર નીચા નમીને બે હાથ લાંબા કરીને લઈ શકાય, એમ જેને લેવામાં શરીરને ઉંચું અને નીચું પણ કરવું પડે તેવું લાવીને વહોરાવે, તે “ઉભયસ્થિત માલાપહત” અને ૪. તિર્લ્ડ, ભીંતમાં, ગોખલા વગેરેમાં મૂકેલું બેઠાં બેઠાં કે ઉભા ઉભાં લઈ શકાય તેવું હોવા છતાં સ્થાન વિષમ હોવાથી જેને લેતાં પડી જવા ૧. ઉભિન્નમાં બાંધેલું છોડવામાં, લીંપેલું ઉખેડવામાં કે બંધ કરેલું ઉઘાડવામાં, એમ સાધુને નિમિત્તે તે તે પ્રવૃત્તિ કરવામાં ત્રસ, સ્થાવર વગેરે જીવોની હિંસાદિ થાય, માટે તેવું સાધુને લેવું કહ્યું નહિ. ૨. માલાપહતમાં સાધુને નિમિત્તે ઉપરથી કે નીચેથી સાધુ પાસે લાવવા માટે જવામાં, આવવામાં . કે લેવા-મૂકવામાં જીવહિંસાદિ થાય, અને તિથ્થુ પણ વિષમ સ્થાનેથી લેતાં લેનાર જો પડી જાય, તો હાથ-પગ વગેરે અવયવોને નુકસાન થાય, ત્રસજીવો ચગદાઈ જાય, વગેરે સંભવ હોવાથી સાધુને તેવાં આહારાદિ લેવાં કહ્યું નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy