SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સંબોધ પ્રકરણ ગાથાર્થ – યતના ધર્મની જનની છે, યતના ધર્મનું રક્ષણ કરનારી છે, યતના ધર્મની વૃદ્ધિ કરનારી છે, યતના મોક્ષસુખને પમાડનારી છે. વિશેષાર્થ– યતના એટલે જીવહિંસા ન થાય તેનો ઉપયોગ રાખવો, કાળજી રાખવી અથવા અનિવાર્યપણે દોષ સેવવો જ પડે તો અધિક દોષથી કેમ બચાય તેનો પ્રયત્ન કરવો એ પણ યતના છે. ધર્મની જનની- યતના પ્રથમથી જ ધર્મની ઉત્પત્તિનું કારણ છે, અર્થાત્ યતના વિના ધર્મની ઉત્પત્તિ ન થાય. ધર્મનું રક્ષણ કરનારી- યતના શ્રુત-ચારિત્રરૂપ ધર્મમાં આવનારાં વિક્નોનું અવશ્ય નિવારણ કરે છે. ધર્મની વૃદ્ધિ કરનારી– યતના ધર્મની પુષ્ટિનું કારણ છે. વધારે શું કહેવું? યતના મોક્ષસુખને પમાડનારી છે. (૨૬) कंचणमणिसोवाणं, थंभसहस्सूसियं सुवण्णतलं। . . जो कारिज्ज जिणहरं, तओ वि तवसंजमो अहिओ ॥२७॥ कञ्चनमणिसोपानं स्तम्भसहस्रोच्छ्रितं सुवर्णतलम् । યો કાર નિનJદં તતોપ તા:સંયમોfધw: II ર૭ || જરૂ૭ ગાથાર્થ– કાંચન (સુવર્ણ) અને ચંદ્રકાંતાદિક મણિઓના સોપાન (પગથિયાં)વાળું હજારો સ્તંભોથી ઉતિ એટલે વિસ્તારવાળું અને સુવર્ણની ભૂમિ (તળ)વાળું જિનગૃહ (જિનમંદિર) જે કોઈ પુરુષ કરાવે, તેના કરતાં પણ એટલે તેવું જિનમંદિર કરાવવા કરતાં પણ તપ અને સંયમનું પાલન કરવું એ) અધિક છે, અર્થાત્ ભાવપૂજા અધિક છે. (૨૭) (ઉપદેશમાળા-ગાથા-૪૯૪) जो य अहिंसाधम्म, नाऊण य जीवभेयसंगहणं । चेयणजुत्तो एगो १, दुविहा संसारि १ सिद्धा य २॥२८॥ यश्चाहिंसाधर्मं ज्ञात्वा च जीवभेदसंग्रहणम् । વેતનયુ પો વિધા: સંસારિ-સિદ્ધાશ્ચ | ૨૮ ગાથાર્થ– જે જીવભેદોના સંગ્રહને જાણીને અહિંસાધર્મનું પાલન કરે છે તે જ જીવ અહિંસા ધર્મનું પાલન કરી શકે છે. તે જીવભેદો આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy