SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ભાવનાવાળો હોય તેને પોતાનો શિષ્ય બનાવે અને પોતાના વિનયવેયાવચ્ચ વગેરે કરવામાં તેને જોડે. ૩૦૯મી ગાથામાં પણ પોતાના માટે દીક્ષા આપે છે પણ તેનામાં યોગ્યતા જોઇને સંવિગ્ન બનવાની પ્રેરણા કરે છે અને સંવિગ્ન બને તો તેને સુસાધુને સમર્પિત કરી દે. ૩૧૦મી ગાથામાં પણ પોતાના માટે જ દીક્ષા આપે છે પણ તેનામાં તેવી યોગ્યતા ન હોવાથી સંવિગ્ન બનવાની પ્રેરણા ન કરે અને પોતાની પાસે રાખે. “જેણે મુનિપણાના પ્રકાશને જાણ્યો નથી” એવા વિશેષણથી જ તેનામાં તેવી યોગ્યતા નથી એમ જણાવી દીધું છે. (૩૧૦) ૧૩૮ ओसन्नो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खतो । तं छुहइ दुग्गईए, अहिययरं बुड्डुइ सयं च ॥ ३११ ॥ अवसन्न आत्मार्थं परमात्मानं चं हिनस्ति दीक्षमानः । તેં ક્ષિપતિ પુર્તતી અધિતાં ઇતિ સ્વયં ચ ।। રૂ. ............. ગાથાર્થ– ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે ન કરતાં અવસન્ન એટલે કે શિથિલ એવો જે પોતાને માટે બીજાને દીક્ષા આપે છે, તે તેને (શિષ્યને) અને પોતાના આત્માને હણે છે. કેમ કે તે (શિષ્ય)ને દુર્ગતિમાં નાખે છે અને પોતાના આત્માને પણ પૂર્વની અવસ્થા કરતા અધિકતર સંસાર સમુદ્રમાં ડુબાડે છે. (૩૧૧) गीयं कप्पनिसीहाइ सुत्तं अत्थं च तदुभयविहिन्नू । सो गीयत्थो अन्नो, समवायधरोऽणुओगधरो ॥ ३१२ ॥ गीतं कल्पनिशीथादिसूत्रमर्थं च तदुभयविधिज्ञः । તો ગીતાર્થોડન્યો સમવાયધરોડનુયો.ધર ।। ૧૨ । ................. ગાથાર્થ કલ્પ અને નિશીથ વગેરે સૂત્રો અને તેનો અર્થ એ ગીત છે. કલ્પ અને નિશીથ વગેરે સૂત્રો અને તેનો અર્થ એ ઉભયના (=એ ઉભયથી કરાયેલા) વિધાનને જે જાણે તે ગીતાર્થ છે. સમવાયાંગને ધારણ કરનાર (=સૂત્રથી અને અર્થથી જાણનાર) અનુયોગધર છે. (૩૧૨) गीयत्थो वि हु गीयत्थसेवा बहुमाणभत्तिसंजुत्तो । परिसागुणनयहेऊ-वाएहिं देसणाकुसलो ॥ ३१३ ॥ Jain Education International 'For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy