SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ—જે સાધુ પિંડૈષણા વગેરેના ૧૯૨ દોષોનો ત્યાગ કરીને પિંડને ગ્રહણ કરે છે, તે સાધુ આસક્તિ વિના આહારનો પરિભોગ કરે છે. ૧૨૬ વિશેષાર્થ ૧૯૨ દોષો આ પ્રમાણે છે–૪૨ ગોચરીના દોષો, ૫ માંડલીના દોષો, ૭ પિંડૈષણા અને ૭ પાણૈષણાના દોષો આમ કુલ ૬૧ થયા. તેમાં હનન-પચન-ક્રયણ એ ત્રણ દોષો ઉમેરતા ૬૪ થયા. આ ૬૪ દોષો પોતે સ્વયં ન સેવે, બીજા પાસે ન સેવડાવે, સેવતા હોય તેની અનુમોદના ન કરે. ૬૪ને ૩થી ગુણતા ૧૯૨ થાય. (૨૭૯) उज्जू १ गंतुं पच्चागई अ २ गोमुत्तिया ३ पयंगविही ४ । पेडा य ५ अद्धपेडा ६, अब्भितर ७ बाहिसंबुक्का ८ ॥ २८० ॥ ऋज्वी गत्वाप्रत्यागतिश्च गोमूत्रिका पतङ्गविथी । પેય વાર્યમેવડ મ્યન્ત નહિ.સંબુ ॥ ૨૮ ............. .૭૬૦ ગાથાર્થ— ઋજવી, ગત્વા પ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવિથી, પેટા, અર્ધપેટા, અત્યંતરશંબૂકા અને બાહ્યશંબૂકા એ આઠ ગોચર ભૂમિઓ છે. વિશેષાર્થ આનો અર્થ પરિશિષ્ટમાં આઠ અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૨૮૦) जहचिंतिय १ सपरग्गह २ सउग्गह ३ परुग्गहे ४ सइगुवगहे ५ । सागारि संथारुग्गह ६ अह संथर ७ ओग्गहा सत्त ॥ २८९ ॥ યથાવિન્તિત-સ્વપાવપ્રઃ-સ્વાવગ્રહ-પાવગ્રહ-સ્વાવપ્રહાઃ । સારિસંથારાવપ્રદ-યાસંસ્તારવપ્રદૌ સત ।। ૨૮૬ ............... ગાથાર્થ— ૧. યથાચિંતિત, ૨. સ્વપરઅવગ્રહ, ૩. સ્વઅવગ્રહ, ૪. પરાવગ્રહ, ૫. સ્વાવગ્રહ, ૬. સાગારિક સંથારઅવગ્રહ, ૭. યથાસંથારાવગ્રહ એમ સાત અવગ્રહ છે વિશેષાર્થ— ‘અવગ્રહ’ એટલે વસતિને (રહેઠાણ-ઉપાશ્રયને) અંગે સાત પ્રકારની પ્રતિમાઓ (પ્રતિજ્ઞાઓ) જાણવી. તે આ પ્રમાણે–(૧) “આવો આવો અમુક ઉપાશ્રય મેળવવો, બીજો નહિ” એમ પ્રથમથી અભિગ્રહ કરીને તેવાની જ યાચના કરીને મેળવે તે પહેલી પ્રતિજ્ઞા. (૨) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy