________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— જિનપ્રતિમાની અંગપૂજા સ્નાન, વિલેપન, આભૂષણ, વસ્ત્ર, ફળ, ગંધ (=વાસચૂર્ણ વગેરે), ધૂપ અને પુષ્પોથી કરાય છે. તેમાં વિધિ આ જાણવો.
૪૮
વિશેષાર્થ— ગાથામાં નાન્ય ના સ્થાને સુહાન્ય એવો પાઠ હોવો જોઇએ. કારણ કે ફળ અંગપૂજા નથી. અહીં ચૈત્યવંદન મહાભાષ્યમાં આ ગાથાનો પૂર્વાર્ધ આ પ્રમાણે છે—
वत्थाऽऽहरण- विलेवण- सुगंधिगंधेहिं धूव - पुप्फेहिं ।
આમાં 7 શબ્દ નથી. પ્રસ્તુત ગ્રંથમાં ૧૭૨મી ગાથા અક્ષરશઃ આ પ્રમાણે જ છે. (૫૭)
=
वत्थेण बंधिऊणं, आसं अहवा जहासमाहीए । वज्जेयव्वं तु तया, देहंमि वि कंडुअणमाई ॥ ५८ ॥
वस्त्रेण बन्धयित्वा Ssस्यमथवा यथा समाधिना ।
वर्जयितव्यं तु तदा देहेऽपि कण्डूयनादि ॥ ५८ ॥ ...................૮ ગાથાર્થ મુખકોશથી મુખને(=નાસિકાને) બાંધીને પૂજા કરવી જોઇએ (જેથી દુર્ગંધી શ્વાસોશ્વાસ, થૂંક આદિ પ્રભુને ન લાગે). જો મુખ બાંધવાથી અસમાધિ થતી હોય તો મુખ બાંધ્યા વિના પણ પૂજા થઇ શકે. પૂજા આદિ કરતી વખતે શરીરને ખંજવાળવું, નાકમાંથી શ્લેષ્મ કાઢવાં, વિકથા કરવી વગેરે ક્રિયાનો ત્યાગ કરવો જોઇએ.
વિશેષાર્થ— બિમાર કે સુકુમાર શરીરવાળા માટે આ એક અપવાદ છે. અપવાદ એટલે સંકટની સાંકળ. તેનો ન છૂટકે જ ઉપયોગ કરવો જોઇએ. આથી મુખકોશ બાંધવાથી થોડી તકલીફ થતી હોય તો પણ તે તકલીફ સહન કરીને મુખ બાંધીને જ પૂજા કરવી જોઇએ. તકલીફના કારણે અસમાધિ થતી હોય તો જ છૂટ લેવી જોઇએ. “મુખકોશ બાંધ્યા વિના પણ પૂજા થઇ શકે” એવું જાણીને વગર કારણે મુખકોશ બાંધ્યા વિના પૂજા કરનાર વિરાધનાનો ભાગી બને છે. (૫૮) (ચૈ.વં.મ.ભા. ગા-૨૦૧) काये कंडुयणं वज्जे, तहा खेलविगंचणं । थुइथुत्तभणनं चेव, पूअंतो जगबंधुणो ॥ ५९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org