________________
૪૪
સંબોધ પ્રકરણ
पिंडत्थपयत्थाण-मेयं रूवाइयस्स थुइकरणं । पढमा गिहिणो पयडा, बीया चिया जइजणाणं ॥५१॥ पिण्डस्थपदस्थानामेतद् रूपातीतस्य स्तुतिकरणम्। પ્રથમ ગૃહિણ: પ્રાય દિતીવતા થતિનનાનામ્ II
૧૨ ગાથાર્થ– આ સત્તર પ્રકારનું પૂજન પિંડસ્થ અને પદસ્થ જિનનું છે. રૂપાતીત જિનનું સ્તુતિ કરવારૂપ પૂજન છે. પહેલી દ્રવ્યપૂજા ગૃહસ્થો માટે પ્રસિદ્ધ છે. બીજી ભાવપૂજા સાધુજનોને યોગ્ય છે. (૫૧) " पढमा समंतभद्दा, संपइभद्दागमेसिभद्दा य। बीया य सव्वमंगल-नामा किरियापहाणा सा ॥५२॥ प्रथमा समन्तभद्रा संप्रतिभद्राऽऽगमिष्यद्भद्रा च। કિતીયા ૨ સર્વમત્તા નાની ક્રિયાપ્રધાન સા II પર .. ...... પર,
ગાથાર્થ–પહેલી દ્રવ્યપૂજાનું સમન્તભદ્રા નામ છે. બીજી ભાવપૂજાનું સર્વમંગલા નામ છે. તે બંને પ્રકારની પૂજા ક્રિયાની પ્રધાનતાવાળી છે.
વિશેષાર્થ–અહીંભાવપૂજામાં ચૈત્યવંદનવગેરે ક્રિયા હોય છે. દ્રવ્યપૂજામાં કાયા દ્વારા પૂજાની સામગ્રી લાવવી, વચન દ્વારા બીજાની પાસે પૂજાની સામગ્રી મંગાવવી, મન દ્વારા નંદનવન વગેરે સ્થળેથી પુષ્પો લાવવા, આમ કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારની ક્રિયા હોય છે. આથી જ વિંશતિવિશિકા-પૂજા વિશિકામાં દ્રવ્યપૂજાના સમન્તભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફલા એમ ત્રણ ભેદ જણાવ્યા છે. તેનો અર્થ આ પ્રમાણે છે–
સમાભદ્રા– ગુણવાનનો ગુણવાનરૂપે સમ્ય) બોધ હોય એવા સમ્યગ્દષ્ટિને જગતમાં સર્વગુણાધિક વીતરાગ સર્વજ્ઞ જ દેખાય છે. તેમના પ્રત્યે તેમને અત્યંત ભક્તિ હોય છે, અને તેથી પોતાની શક્તિને અનુરૂપ ઉત્તમ વસ્તુ દ્વારા જ તેમની પૂજા કરીને તે પરિતોષ પામે છે. પૂજાની સામગ્રી એકઠી કરવામાં અને તેના દ્વારા ભગવાનની પૂજા કરવામાં મન અને વચનની શુદ્ધિ માટે યત્ન હોવા છતાં કાયાથી વિધિની શુદ્ધિ પૂરેપૂરી જળવાય એવી તેની પરિણતિ હોય છે. તેથી આ પ્રથમ પૂજાને કાયક્રિયાપ્રધાન કહેલ છે. વળી, ગુણવાનને ગુણવાનરૂપે જાણીને તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org