SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સંબોધ પ્રકરણ ગાથાર્થ–બધા વ્યાખ્યાન કરવામાં તત્પર છે. બધા સ્ત્રીલોકને ઉપદેશ આપવામાં રસિક છે. બધા સ્વચ્છંદી જેવા બનીને કાળ પસાર કરે છે. શું ધર્મ પરસાક્ષીએ છે? અર્થાત્ ધર્મ આત્મસાક્ષિક છે. એમ બોલે છે. વિશેષાર્થ– જિનાજ્ઞા મુજબ વર્તવાના બદલે સ્વેચ્છા પ્રમાણે વર્તે એથી લોકો તેમને કહે કે આ જિનાજ્ઞા વિરુદ્ધ છે ત્યારે તેઓ એવો જવાબ આપે કે કાળ પ્રમાણે અમે બરોબર કરીએ છીએ. લોકોને અમારા માટે જેમ કહેવું હોય તેમ ભલે કહે. અમે સાચા છીએ. ધર્મ આત્મસાક્ષિક છે, પરસાક્ષિક નથી. એથી બીજાઓ અમને ખોટા કહે, તેથી અમે ખોટાં બની જવાના નથી. આમ પોતે ખોટા હોવા છતાં પોતાનો ખોટો બચાવ કરે અને ધર્મ પરસાક્ષિક નથી એમ કહે. (૧૪૩). मंडलिजेमणिमाईववहारपरंमुहा असंबद्धा। सद्दकरा झंझकरा, तुमंतुमा पावतत्तिल्ला ॥१४४॥ . मण्डलिजेमनादिव्यवहारपराङ्मुखा असम्बद्धाः । ન્દિરા ફરતુમંત્મ: પાપતા II ૨૪૪ || ૪૮૩ ગાથાર્થ– માંડલીમાં ભોજન કરવું આદિ આચારથી વિમુખ બનેલા, પરસ્પર સંબંધ નહિ રાખનારા, મોટેથી બોલનારા, કલહ કરનારા, તુંકારાથી બોલાવનારા અને પાપકાર્ય કરવામાં તત્પર હોય. (૧૪૪) सिढिलालंबणकारणठाणविहारेहिं सव्वमायति । भत्तजणंगुणलेसो, वि भासति महमेरुसारिच्छो ॥१४५ ॥ शिथीलालम्बनकारणस्थानविहारैः सर्वं मिमते । મગન:શુલ્તશોપિ બાબતે મહાસંદશ // ૨૪I ....૪૪ ગાથાર્થ– શિથિલ આલંબન, શિથિલ કારણ, શિથિલ સ્થાન અને શિથિલ વિહારથી બધું માપે છે=નિશ્ચિત કરે છે, અર્થાત્ શિથિલ આલંબન વગેરેથી બધા દોષોને સેવે છે. ભક્તલોકના અલ્પ પણ ગુણને મોટા મેરુપર્વત સમાન કહે છે. (૧૪૫) धम्मकहाओ अहिज्जइ घरा घरं भमइ परिकहंतो य । #RUપરંવાર્દિ, ગતિં વદ્દ સવાર ૨૪૬ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy