SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ : સંબોધ પ્રકરણ ગાથાર્થ– અજ્ઞાન લોકોની આગળ આ પ્રમાણે (=૭૭મી ગાથાથી ૮૧મી ગાથા સુધી કહેવામાં આવે છે તે પ્રમાણે) બોલે છે. મોક્ષમાર્ગ સાધવાની પૂર્ણ સામગ્રી ન હોવાથી અમે શું કરીએ ? વળી વક્ર-જડ જીવોનો કાળ છે. (૭૭) અવસર્પિણીના પાંચમા આરારૂપ આદુષમકાળમાં, વિધિમાર્ગનું ( શાસ્ત્રાનુસારી ધર્મના આચરણનું) પાલન દુર્લભ છે. તે વિધિમાર્ગને જ આચરવામાં આવે તો તીર્થનો ઉચ્છેદ થઈ જાય. તેથી સમય પ્રમાણે વર્તવું જોઇએ. (૭૮) વિધિનું પૂર્ણ પાલન કરનારા શાસ્ત્રમાં કહેલા પૂર્વના સાધુઓ અને શ્રાવકો ક્યાં? અર્થાત્ તે સાધુઓ અને શ્રાવકોની તોલે અમે આવી શકીએ તેમ નથી. કારણ કે તે સાધુઓ અને શ્રાવકો મોક્ષમાં જનારા હતા. હમણાં તો મોક્ષનો વિચ્છેદ છે. (૭૯), જિનેશ્વરોએ આ કાળમાં ધીરજની ( મનોબળની) અને સંઘયણબળ વગેરેની હાનિ કહી છે. તેથી શુભ-અશુભનો ભેદ શો કરવો? અર્થાત્ આ ધર્મક્રિયા શુભ છે, આ ધર્મક્રિયા અશુભ છે એવો ભેદ પાડવો બરોબર નથી. તેથી ઘણા લોકો જે ધર્મ કરે તે જ ધર્મ કરવો જોઈએ. જો મન નિર્મલ જ છે તો બધે ય પુણ્યફળ છે. આવો કદાગ્રહ કેટલાકોનો જ છે, અર્થાત આવો કદાગ્રહ કેટલાકોનો જ છે, બધાનો નથી. (૮૦-૮૧) एयारिस दुव्वयणं, भासंता अप्पणो पमायंता । बुइंति भवसमुद्दे, बुड्डावंता परेसि पि ॥८२ ॥ एतादृशं दुर्वचनं भाषमाणा आत्मनः प्रमाद्यन्तः । તૂતિ મવસમુદ્ર બ્રોડયન્ત પોષામપિ || ૮ર II . ગાથાર્થ– આવાં દુર્વચનો બોલતા અને પ્રમાદ કરતા અજ્ઞાનીઓ જાતે ભવસમુદ્રમાં ડૂબે છે અને બીજાઓને પણ ડૂબાવે છે. (૮૨) पवयणनामग्गाहं, वक्खाणे जो करेइ विगहाइ। कामत्थहासविह्मियकारि किर मुद्धबालाणं ॥८३ ॥ प्रवचननामग्राहं व्याख्याने यः करोति विकथादि। માર્થહાસ્યવસ્મિતારિ વિહત મુધવાતાનામ્ II ૮૩ I ..............૪રર Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy