________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૧૯૭ कालविणयाइरहिओ, नाणकुसीलो य दंसणे इणमो। निस्संकियाइरहिओ, चरणकुसीलो इमो होइ ॥१५॥ कालविनयादिरहितो ज्ञानकुशीलश्च दर्शनेऽयम्। निःशङ्कादिरहितश्चरणकुशीलोऽयं भवति ॥ १५ ॥ » રૂ૫૪ ગાથાર્થ– કુશીલના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એમ ત્રણ પ્રકાર છે. તેમાં કાળ-વિનય વગેરે જ્ઞાનના આઠ આચારોથી રહિત હોય તે જ્ઞાનકુશીલ છે. દર્શનના નિઃશંકિત વગેરે આઠ આચારોથી રહિત દર્શનકુશીલ છે. ચારિત્રકુશીલ આ (નીચેની ગાથામાં કહેવાશે તે) છે. (૧૫) कोउयभूइकम्मे, पसिणापसिणे निमित्तमाजीवी। कककुरुयाइलक्खण-मुवजीवइ विज्जमंताई ॥१६॥ कौतुकभूतिकर्मणि प्रश्नाप्रश्ने निमित्तमाजीवी।
*સાહિત્નક્ષણમુનીવતિ વિદ્યામન્નતિ ૨૬ .......... રૂપ ગાથાર્થ- કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, આજીવિકા, - કકુરુકા, લક્ષણ, વિદ્યામંત્ર વગેરેનો ઉપયોગ કરનાર ચારિત્રકુશીલ છે.
વિશેષાર્થ– સૌભાગ્ય આદિ નિમિત્તે બીજાઓને સ્નાન કરાવવું વગેરે કૌતુક કહ્યું છે. (નિશીથ ઉ.૧૩, ગાથા-૪૩૪૫ની ચૂર્ણિમાં) કહ્યું છે કે
જેને સંતાન ન થતાં હોય તેવી સ્ત્રી વગેરેને 'ત્રિક, ચોક વગેરે સ્થાનોમાં સ્નાન કરાવે તે કૌતુક છે.” અથવા મુખમાંથી અગ્નિ કાઢવો વગેરેથી લોકને આશ્ચર્ય પ્રગટ કરે તે કૌતુક કહેવાય. વ્યવહારસૂત્રની ટીકામાં કહ્યું છે કે –“કૌતુક એટલે આશ્ચર્ય પમાડવું. જેમ કે જાદુગર મોઢામાં ગોળાઓને નાખીને કાનમાંથી કે નાકમાંથી કાઢે, તથા મુખમાંથી અગ્નિ કાઢે વગેરે.” (ગુ.વિ.ઉ.૩. ગા-૮૯)
કોઇ તાવવાળા વગેરેને મંત્રેલી રક્ષા આપવી એને ભૂતિકર્મ કહ્યું છે. કહ્યું છે કે–“રક્ષણ માટે મંત્રેલી રક્ષા આપે (તે ચારિત્રકુશીલ છે)” તથા સ્વપ્રમાં જોયેલું કે વિદ્યાના પ્રભાવ વગેરેથી દેવતાએ કહેલા વિચારોને ૧. ત્રિક=જ્યાં ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવું સ્થાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org