________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૧૮૧ ચાલે. (૪) સર્પ જેમ બિલમાં પ્રવેશ કરતાં વાંકો ચૂકો જાય નહિ, જાય તો છોલાઈ જાય માટે સીધે સીધો જાય, તેમ મુનિ અનાસક્તિથી આહાર લે. એક જડબામાંથી-દાઢમાંથી બીજા જડબામાં-દાઢમાં આહાર ફેરવે નહિ. (૫) જેમ સર્પ કાચલી ઉતાર્યા પછી ફરી ગ્રહણ કરે નહિ, તેમ મુનિ પુત્ર-કલત્રાદિ કુટુંબ રૂપ કાચલી ઉતાર્યા પછી એને સરાગદષ્ટિથી ગ્રહણ કરે નહિ. (૬) સર્પ કાંટા વગેરેથી ડરે નહિ પણ એકાગ્ર દૃષ્ટિથી જોઈને ચાલે, તેમ મુનિ પણ પરિષહ ઉપસર્ગથી ડરે નહિ. ઈર્યાસમિતિપૂર્વક જયણાથી ચાલે. (૭) સર્પ મયૂર વગેરે પક્ષીઓથી ભય પામે છે, તેમ મુનિ પોતાના ચારિત્રપ્રાણની રક્ષા માટે દર્શનભ્રષ્ટ આત્માઓ તથા સ્ત્રી આદિથી ભયભીત રહે છે.
૨. પર્વતની ઉપમા (૧) પર્વત જેમ અનેક ઔષધિઓથી શોભે છે, તેમ મુનિ પણ જ્ઞાન દર્શને ચારિત્રથી પ્રાપ્ત અનેક પ્રકારની ચમત્કારિકલબ્ધિઓથી શોભે છે. (૨) પર્વત જેમ પ્રચંડ પવનથી પણ ચલાયમાન થતો નથી, તેમ મુનિ પરીષહ-ઉપસર્ગથી કદી ચલિત થતો નથી. (૩) પર્વત પશુ પંખી વગેરે અનેક જીવોને સુખ અને શાતા આપે છે, તેમ મુનિવર પણ પોતાના આશ્રયે રહેલા શિષ્યાદિ ચતુર્વિધ સંઘને જિનવચનામૃતનું પાન કરાવી શાતા આપે છે. (૪) જેમ નદીના નિર્મળ ઝરણાઓથી પર્વત શોભે છે, તેમ મુનિ પણ સપ્તભંગી, સપ્તનય વગેરના ઉપદેશરૂપી નદી-ઝરણાઓથી શોભે છે. (૫) પર્વત સૌથી ઊંચો હોય છે, તેમ મુનિની ભાવનાઓ ખૂબ ઉચ્ચ કક્ષાની હોય છે. (૬) પર્વત જેમ સ્ફટિક, રત્નો, સુવર્ણ વગેરેની ખાણોથી શોભે છે, તેમ મુનિ ક્ષાયિક, લાયોપથમિક, ઔપશમિકાદિ ભાવોથી શોભે છે. (૭) પર્વત જેમ દેવતાઓને ક્રીડા કરવાનું સ્થાન છે, તેમ મુનિ શિષ્યાદિ ભવ્ય જીવોને જ્ઞાન ક્રીડા કરવાનું સ્થાન છે.
૩. અગ્નિની ઉપમા- (૧) અગ્નિ જેમ ગમે તેટલા લાકડા, ઘાસ વગેરેથી પણ કદી તૃપ્ત થાય નહિ, તેમ મુનિ ગમે તેટલું શ્રુત ભણે તો પણ તૃપ્ત થાય નહિ. સદા જ્ઞાન ધ્યાનનું સેવન કર્યા કરે છે. નવું શ્રુત ઉપાર્જન કરવામાં ઉદ્યમશીલ રહે છે. (૨) અગ્નિ જેમ તેજથી તેજવંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org