________________
૧૫૯
દેવ અધિકાર
गृहि-छद्ममुनि-जिनानामितरेषामशेषर्द्धि (ऋद्धि) गुणकलितः । મજ્ઞાનના મયુર નિનવો યત્ર તત્ પ્રતિમા II રર . ............ ર૬૨
ગાથાર્થ– જિનપ્રતિમાનાં દર્શન કરનારા ભવ્ય જીવોને પ્રતિમાનાં દર્શનથી મનમાં એમ થાય છે કે જિનેશ્વરોથી બીજાઓ જે ગૃહસ્થો, છઘસ્યમુનિઓ અને જિનો(સામાન્ય કેવળીઓ) તેઓની અપેક્ષાએ સંપૂર્ણ ઋદ્ધિ (=અતિશયો) અને ગુણોથી યુક્ત અને નામયુક્ત એવા અરિહંત જિનેશ્વર જેમાં છે તે આ પ્રતિમા છે.
વિશેષાર્થ– (સમ્યગ્દષ્ટિ) ગૃહસ્થો, છદ્મસ્થ મુનિઓ અને કેવળીઓ ગુણી હોવા છતાં અપૂર્ણ ગુણવાળા છે, કારણ કે તીર્થકરમાં રહેલ અમોઘ દેશના વગેરે ગુણો સામાન્ય કેવળીઓમાં ન હોય. જયારે જિનેશ્વરી સંપૂર્ણ ગુણવાળા છે. જિનેશ્વરોથી અધિકગુણી આ વિશ્વમાં કોઈ નથી. આવા સર્વ ગુણસંપન્ન જિનેશ્વરોની આ પ્રતિમા છે. આ પ્રમાણે ભવ્ય જીવોને પ્રતિમામાં સર્વગુણસંપન્ન જિનેશ્વરનાં દર્શન થાય છે. આથી તેમનામાં ગુણાનુરાગ વગેરે ગુણો પ્રગટે છે. (૨૯૨) भवसंसरमाणो वि हु, न फासए बियतईयगुणठाणं । खुड्भवसुहुमसाहारणाइसंदुटुभावं नो ॥२९३ ॥ भवसंसरमाणोऽपि हु न स्पर्शति द्वितीय-तृतीयगुणस्थानम् । સુમવ-સૂક્ષ્મ-સાધારણવિસંતુરમાવે રર રરૂ
ગાથાર્થ– ભવમાં ભ્રમણ કરનારા પણ જિનેશ્વર બીજા-ત્રીજા ગુણસ્થાનને ક્ષુલ્લકભવને, સૂક્ષ્મભાવને અને સાધારણભાવને સ્પર્શતા નથી. વિશેષાર્થ– જિનેશ્વરનો જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ અનંતકાળ સુધી જુદી જુદી ગતિઓમાં ભમે છે. આમ છતાં તે જીવ ક્યારેય ક્ષુલ્લકભવને પામતો નથી. ક્ષુલ્લકભવ એટલે જેમાં ઓછામાં ઓછું આયુષ્ય હોય તેવા સાધારણ વનસ્પતિકાયનો(ઋનિગોદનો) ભવ. ક્ષુલ્લકભવને પામેલો જીવ એક શ્વાસોશ્વાસમાં સાડા સારવાર જન્મે છે અને મરે છે. સત્તરવાર જન્મ અને મરે. અઢારમીવાર જન્મ થાય ત્યારે શ્વાસોશ્વાસ પૂર્ણ થાય. આમ અઢારવાર જન્મ અને સત્તરવાર મરણ પામે એ દૃષ્ટિએ એક શ્વાસોશ્વાસમાં સાડા સત્તરભવ ગણાય. જિનેશ્વરનો જીવ સૂક્ષ્મ એકેંદ્રિયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org