________________
૧૫૨
- સંબોધ પ્રકરણ પ્રલાપ કરતા એવા તેમના વિવાદનો અંત લાવે તેવો બીજો કોઈ આગમકુશળ, ન હતો. આથી બધાએ સાવદ્યાચાર્યને જ પ્રમાણ કરીને દૂર દેશથી બોલાવ્યા. વિહાર કરતાં કરતાં સાત મહિને સાવદ્યાચાર્ય ત્યાં પધાર્યા. એક સાધ્વીજીએ શ્રદ્ધાથી સાવઘાચાર્યને પ્રદક્ષિણા આપીને જલદીથી મસ્તક વડે ચરણોને સ્પર્શીને વંદન કર્યું. ચૈત્યવાસીઓએ આ જોયું.
એકવાર સાવઘાચાર્યચેત્યવાસીઓની સમક્ષ શાસ્ત્રના અર્થો કહી રહ્યા હતા ત્યારે આ જ મહાનિશીથના પાંચમા અધ્યયનના વ્યાખ્યાનમાં આ ( નીચે પ્રમાણે) ગાથા આવી.
जत्थित्थीकरफरिसं, अंतरियं कारणे वि उप्पन्ने । अरिहा वि करिज्ज सयं, तं गच्छं मूलगुणमुक्कं ॥१॥
ગૌતમ! જે ગચ્છમાં કારણ ઉત્પન્ન થયું હોય તો પણ સ્ત્રીના હાથનો સ્પર્શ પદવી આદિની પ્રાપ્તિ થવાના કારણે પૂજાને યોગ્ય એવા આચાર્ય વગેરે સ્વયં વ્યવધાનથી (પરંપરાએ) પણ કરે તો પણ તે ગચ્છને મૂલગુણથી રહિત જાણવો.
સ્વયં શંકિત બનેલા સાવઘાચાર્યે વિચાર્યું કે સાધ્વીએ મારા ચરણોને સ્પર્શીને વંદન કર્યું તે આમણે જોયું છે. તેમણે પહેલાં પણ મારું સાવઘાચાર્ય એવું નામ પાડ્યું છે. હમણાં આ ગાથાનો સત્ય અર્થ કહેવામાં બીજું પણ કંઇક કરશે. અસત્ય પ્રરૂપણામાં તો મોટી આશાતના અને અનંત સંસાર થાય. તેથી શું કરું? અથવા જે થવાનું હોય તે થાઓ, સાચો જ અર્થ કહું. આ પ્રમાણે વિચારીને ગાથાનો સાચો અર્થ કહ્યો. પાપી એવા તેમણે કહ્યું: જો એમ છે તો તમે પણ મૂલગુણ રહિત છો. કારણ કે વંદન કરતી સાધ્વીએ તમારો સ્પર્શ કર્યો છે. તેથી અપજશના ભયવાળા તેમણે વિચાર્યું કે શું ઉત્તર આપું? આચાર્ય આદિએ કોઇ પણ પાપસ્થાન ત્રિવિધ ત્રિવિધથી ન સેવવું જોઈએ, જે સેવે છે તે અનંતકાળ સુધી સંસારમાં ભમે છે. સાવઘાચાર્યને વિલખા પડેલા જોઇને તેમણે કહ્યું: ઉત્તર કેમ આપતા નથી? તેમણે વિચાર્યું શું કહું? પછી તેમણે અનંત સંસારનો સ્વીકાર કરીને કહ્યું. અયોગ્યને શાસ્ત્રનો અર્થ ન કહેવો જોઇએ. જેમ માટીના કાચા ઘડામાં નાખેલું પાણી કાચા ઘડાનો નાશ કરે છે, તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org