________________
સંબોધ પ્રકરણ
૧૩૨
કારણે મોહનીયકર્મ પણ બંધાય છે. પછી જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે મોહનીયકર્મનો પણ ઉદય થાય છે. મોહનીય કર્મના ઉદયથી ભૌતિક સુખ ભોગવવામાં રાગ વગેરે અને જીવહિંસા વગેરે પાપો કરે છે. એથી તે મૃત્યુ પામીને દુર્ગતિમાં જાય છે. આમ ત્રીજા રૂપિયા સમાન ક્રિયા મહાન અનર્થ કરે છે. (૨૪૬) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૮) होइ य पाएणेसा, अन्नाणाओ असद्दहणयाओ ।
कम्मस्स गरुत्ताओ, भवाभिणंदीण जीवाणं ॥ २४७ ॥
भवति च प्रायेणैषा अज्ञानादश्रद्धानात् ।
२४७
कर्मणो गुरुत्वाद् भवाभिनन्दिनां जीवानाम् ॥ २४७ ॥ ગાથાર્થ— ત્રીજા રૂપિયા સમાન ધર્મક્રિયા અજ્ઞાનતાથી, અશ્રદ્ધાથી અને ભારે કર્મોનાં કારણે પ્રાયઃ ભવાભિનંદી જીવોને હોય છે. (૨૪૭) (ચૈ.વં.મ.ભા. ગા-૮૯૯)
.................
उभयविहीणाओ पुणो, नियमाराहणविराहणा रहिया विसयब्भासगुणाओ, कयाइ हुज्जा सुहनिमित्तं ॥ २४८ ॥ उभयविहीना तु पुनर्नियमाराधनविराधनारहिता । વિષયાભ્યાસનુળાત્ વવિદ્ ભવેત્ સુમનિમિત્તમ્ ॥ ૨૪૮ ......... ૨૮ ગાથાર્થ— શુદ્ધભાવ અને શુદ્ધવિધિ એ ઉભયથી રહિત ક્રિયા નિયમા આરાધનાથી અને વિરાધનાથી રહિત છે. વિષયાભ્યાસગુણના કારણે ક્યારેક શુભનું (=શુદ્ધભાવ-શુદ્ધક્રિયાનું) કારણ બને છે.
વિશેષાર્થ— સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ એમ ત્રણ પ્રકારે ધર્મનાં અનુષ્ઠાનો છે. તેમાં પહેલા કરતા બીજું અને બીજાથી ત્રીજું શ્રેષ્ઠ છે. માતા-પિતાદિ પ્રત્યે વિનય વગેરેનો સતત અભ્યાસ=પ્રવૃત્તિ તે સતતાભ્યાસ. શ્રી અરિહંતરૂપ વિષયમાં અભ્યાસ તે વિષયાભ્યાસ. અર્થાત્ અરિહંતની પૂજા વગેરે પ્રવૃત્તિ વિષયાભ્યાસ છે. ભાવનો અભ્યાસ=પરિશીલન તે ભાવાભ્યાસ. અર્થાત્ સંસાર પ્રત્યે વૈરાગ્યપૂર્વક સમ્યગ્દર્શનાદિભાવોનું પરિશીલન કરવું તે ભાવાભ્યાસ. વ્યવહાર નયથી સતતાભ્યાસ વગેરે ત્રણે અનુષ્ઠાનો ધર્મરૂપ છે. નિશ્ચયનયથી ભાવાભ્યાસ જ ધર્મરૂપ છે. (૨૪૮) (ઉ.૫. ગાથા-૯૪૯ વગેરે)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org