SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ આરતી ઉતાર્યા પછી મંગલદીવો કરે. આરતી અને મંગલદીવો ચાર વાર ઉપરથી નીચે ઉતારે. આરતી-મંગલદીવો ઉતારતી વખતે વિધિથી ઉત્સવ કરે. ૧૦૮ વિશેષાર્થ— ધર્મસંગ્રહમાં જણાવ્યું છે કે—આરતી ઉતારતાં બીજા શ્રાવકોએ બંને બાજુ ધૂપ ઉખેવવો, અખંડ જલધારા દેવી અને પુષ્પો ઉછાળવા વગેરે મહોત્સવપૂર્વક આરતી ઉતારવી. ધૂપ ઉખવવો, અખંડ જલધારા દેવી અને પુષ્પો ઉછાળવાં વગેરે મહોત્સવપૂર્વક મંગલદીવો પણ ઉતારવો. માટે અહીં આરતી-મંગલદીવો ઉતારતી વખતે વિધિથી ઉત્સવ કરે એમ કહ્યું છે. (૧૮૮) पंचोवयारजुत्ता, पूया अट्ठोवयारकलिया यं । रिद्धिविसेसेण पुणो, भेया सव्वोवयारा वि ॥ १८९ ॥ पञ्चोपचारयुक्ता पूजाऽष्टोपचारकलिता च । १८९ ઋદ્ધિવિશેષેળ પુનઃખિતા સર્વોપચારાત્ત ॥ ૧૮o I.......... ગાથાર્થ– પંચોપચારા, અષ્ટોપચારા અને સર્વોપચારા એમ ત્રણ પ્રકારની પૂજા કહી છે. તેમાં સર્વોપચારા પૂજા વિશિષ્ટ ઋદ્ધિને આશ્રયીને છે=વિશિષ્ટ ઋદ્ધિવાળા શ્રાવકો કરી શકે તેવી છે. વિશેષાર્થ—ઉપચાર એટલે પૂજાની સામગ્રી, જેમાં પૂજાની સામગ્રી પાંચ હોય તે પંચોપચારા. જેમાં પૂજાની સામગ્રી આઠ હોય તે અષ્ટોપચારા. જેમાં પૂજાની સામગ્રી સઘળી(=ઘણી) હોય તે સર્વોપચારા. (૧૮૯) . (ચૈ.વં.મ.ભા. ગા-૨૦૯) तहियं पंचुवयारा, कुसुमक्खयगंधधूवदीवेहिं । નેવિષ્નનનોહિં, નુત્તા અડ્ડોવવારા વિ । ૧૦ ।। तथेयं पञ्चोपचारा कुसुमाक्षत-गन्ध-धूप-दीपैः । નૈવેદ્ય-નન-ત્ત-યુઝાડોપવાઽપિ || ૧૬૦ ||, १९० ગાથાર્થ પુષ્પ, અક્ષત, ગંધ (=ચંદન), ધૂપ અને દીપથી પંચોપચારા પૂજા થાય છે. ફળ, જલ અને નૈવેદ્યની સાથે પુષ્પાદિ પાંચથી અષ્ટોપચારા પૂજા થાય છે. (૧૯૦) (ચૈ.વં.મ.ભા. ગા-૨૧૦) ૧. પ્રાકૃત શબ્દકોષમાં વિનિમાં શબ્દ જોવામાં આવ્યો નથી. સંબંધના આધારે ઉપરથી નીચે ઉતારે એવો અર્થ કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy