SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ૧૦૬ ता नज्जइ नो दोसो, करणे चउवीसवट्टयाईणं । આયરળાનુત્તીઓ, ગંથેસુ અ વિસ્મમાળત્તા II ૮૨ ॥ तस्माद् ज्ञायते न दोषः करणे चतुर्विंशतिपट्टकादीनाम् । आचरणायुक्तयो ग्रन्थेषु च दृश्यमानता ॥ १८२ ॥ ....................૮૨ ગાથાર્થ— તેથી ચોવીસીપટ્ટક વગેરે કરવામાં દોષ જણાતો નથી. કારણ કે ચોવીસીપટ્ટક વગેરે ભરાવવાની પ્રાચીન આચરણાનો યોગ છે. અર્થાત્ પ્રાચીન આચરણા છે, તથા શાસ્ત્રગ્રંથોમાં તે પ્રમાણે જોવામાં આવે છે. (૧૮૨) जिणरिद्धिदंसणत्थं, एगं कारेइ कोइ भत्तिजुओ । પાડિયપાડિર, લેવા મમોહિય એવ ॥ ૮રૂ II जिनर्द्धिदर्शनार्थमेकं कारयति कोऽपि भक्तियुक्तः । प्रकटितप्रातिहार्यं देवागमशोभितं चैव ॥ १८३ ॥ १८३ ગાથાર્થ ભક્તિથી યુક્ત કોઇ જીવ જિનની ઋદ્ધિના દર્શન માટે પ્રાતિહાર્યવાળું અને દેવોના આગમનથી શોભિત એવું એક જિનબિંબ કરાવે છે. વિશેષાર્થ— જિનની ઋદ્ધિના દર્શન માટે એટલે પ્રતિમાને જોતાં પ્રભુની અષ્ટપ્રાતિહાર્યાદિ બાહ્યઋદ્ધિનાં દર્શન થાય એ માટે. દેવાગમનથી શોભિત એટલે દેવો ભગવાનની ભક્તિ કરી રહ્યા છે તેવો દેખાવ જેમાં હોય તેવું જિનબિંબ. (૧૮૩) दंसणनाणचरित्ता- राहणकज्जे जिणत्तियं कोइ । परमेट्ठिनमुक्कारं, उज्जमिउं केइ पंचजिणा ॥ १८४ ॥ दर्शन - ज्ञान - चारित्रऽऽराधनकार्ये जिनत्रिकं कोऽपि । પરમેષ્ઠિનમÓારમુદ્યમિનું પિ પન્નુ નિનાન્ । શ્૮૪ .............. ગાથાર્થ કોઇ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના નિમિત્તે ત્રણ બિંબ કરાવે છે. પરમેષ્ઠિ નમસ્કારની (નમસ્કાર મહામંત્રની) આરાધના પૂર્ણ કરી હોય એ નિમિત્તે ઉજમણું કરવા કોઇ પાંચ જિનબિંબ કરાવે છે. (૧૮૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy