SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જ્ઞાનપદ ભજીએ રે ફ્રીજ ખાલી પડ્યું છે માટે કોલસાનો ટોપલો તેમાં મૂકી દો એમ કોઈ કહે, તો તે તમે ચલાવી લેશો ખરા? તમે કહેશો કે, અરે, કોલસાને ગમે ત્યાં મૂકી દો, પણ ફ્રીજમાં તો ન જ મુકાય-આવો વિચાર ને વિવેક કોને આવે, કે જે ફ્રીજના મહત્ત્વને સમજતો હોય તેને. ન એમ જે ધર્મની ઉપાદેયતા યથાસ્થિત સમજે, તે સામાજિક કાર્યો માટે ઉપાશ્રય વગેરે વાપરવાનો વિચાર સરખોય ન કરે. ઉપાશ્રય ભલે ને ખાલી હોય, પણ સંસારનાં કામ માટે એનો દુરુપયોગ તો ન જ થાય. માટે કોઈ વિષયનો નિર્ણય કરવામાં તમારી મતિનો ઉપયોગ ન કરવો જોઈએ, પણ શાસ્ત્રમતિથી જ તે કાર્ય કરવું-કરાવવું જોઈએ. અને તે માટે ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રા સ્વીકારવી જોઈએ. આજે શિબિર દ્વારા ધાર્મિક શિક્ષણ અપાય છે તે આવકારદાયક તો છે જ, પણ જરૂરત કરતાં તેમાં લાભ લેનારની સંખ્યા અને સમયની મર્યાદા બન્ને દૃષ્ટિએ તે ઘણું અપૂરતું છે; મતલબ કે જેમ નિશાળમાં રોજ વિદ્યાર્થી જાય છે, તેમ તેને રોજ ધર્મના સંસ્કાર ને શિક્ષણ મળવાં જોઈએ. અને શિક્ષણ આપનાર શિક્ષકોને પણ માનની નજરે જોવા જોઈએ. તેઓની સાથેનો આપણો વર્તાવ વિનયભર્યો અને મધુર હોવો જોઈએ. કેમકે તેઓ જ્ઞાનનું દાન કરે છે. વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષકનું કેવું મહત્ત્વનું સ્થાન છે, તેનો ખ્યાલ આવે તો આપણને લાગે કે શિક્ષકો ખૂબ સન્માનનીય છે. આ ભાવના અમૂલ્ય જીવનને ઉજ્વળ કરનાર, પરભવમાં પણ સંસ્કારસંપન્ન માનવભવ અને પરમ કૃપાળુ પરમાત્માનું લોકોત્તર શાસન વગેરે સામગ્રીને સુલભ બનાવનાર સભ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો સતત ઉદ્યમ કરવો-કરાવવો, જેથી ઉત્તરોત્તર મંગળમાળા પ્રાપ્ત થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy