________________
સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા
૬૯
જ્ઞાન આપણું સાચું ધન છે, એ વાત તમારા હૈયામાં બેઠી જ નથી. તે વાતને તમે બધા મહત્ત્વ આપો તો કેવું સારું! જ્ઞાની ઉપાધ્યાય ભગવાન જ્ઞાનની લહાણી કરી રહ્યા છે, એ એમનો અનુપમ ઉપકાર છે. તેઓ માને છે કે શ્રુતરૂપી મૂળ સાબૂત હશે તો પાંદડાં મંજરી, ફૂલ ફળ બધુંય આવશે.
નાના-મોટા પર્વ દિવસોમાં પણ જો દેરાસર ન જઈએ તો આપણે જૈન છીએ એવું લાગે જ નહીં. આવી આપણી દશા છે ! ૨૪ કલાકમાં આપણા કેટલા કલાક ધર્મારાધનામાં વીતે છે? આજે આપણને સાધુ જેટલા ગમે છે, તેટલે અંશે સાધુતા ગમતી નથી. ચોમાસામાં સાધુ જોઈએ જ એ વિચાર વ્યાપક થતો જાય છે, પણ મારા જીવનની સાધુતાની પ્રીતિ કેટલી આવી છે તેવો વિચાર કરો છો ખરા ? બીજાના ઘરની ટેપ-રેકર્ડ ટી. વી. જેવી ચીજો જોયા પછી જેમ એને વસાવવાનું મન થાય છે, તેમ સાધુને જોઈને, સાધુતા ગમતી હોય તો, તમને પણ સાધુ થવાનું મન થાય જ. પણ સાધુતા સારી છે, હૈયે વસાવવા જેવી છે, એવો અનુરાગ પ્રગટ થતો નથી; જો પ્રગટ થતો હોય તો તે મેળવવા માટે તમારા પ્રયત્નો હોય જ. નિત્ય સ્વાધ્યાય કરવાના નિયમ જેવો એકાદ ગુણ પણ કેળવાઈ જાય તો, તેની પાછળ પાછળ, બીજા કેટલાય ગુણો આવવા લાગે. એક ગુણ તેના સાગરીતોને લઈને આવશે. અને સ્વાધ્યાયથી પ્રજ્ઞા નિર્મળ થતાં, વિવેકથી તમારી બધી જીવનચર્યા જ બદલાઇ જશે અને વૃત્તિ અને પ્રવૃત્તિ બન્નેમાં પરિવર્તન આવશે. રાત્રિભોજનત્યાગ જેવો એક નિયમ તમે પાળો તો બીજી કેટલીય ધર્મક્રિયાઓ તેની સાથે આવશે એ નિશ્ચિત વાત છે. અવગુણોની જેમ ગુણોની પણ સાંકળ હોય છે. એક ગુણનો અંકોડો પકડચો એટલે અન્ય ગુણોની સાંકળ આવી જ સમજો. તમે પ્રતિક્રમણ કરતા નથી. તમને એમ ને એમ બેસી રહેલા જોઈ કોઈ તમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org