________________
૬૦
જ્ઞાનપદ ભજીએ રે
અહંદુ દર્શનનાં, અહંદુ ધર્મના અભ્યાસ માટે આ પદ્ધતિ અપનાવવાથી જલ્દી લાભ થાય છે.
એક થી પંદર સુધીનું જ ભલે જ્ઞાન હોય પણ તેનાથી અહ ધર્મના મૌલિક પદાર્થનું જ્ઞાન થાય છે. માટે પાઠશાળામાં આવું જ્ઞાન આપવું જોઈએ. એક એટલે સકલ જીવરાશિનો આત્મા એક છે. બે આ આનંદ અને સુખના ભંડાર સ્વરૂપ આત્મા રાગ અને
દ્વેષ બે ના કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્રણ આ સંસારથી મુક્ત થવાનો ઉપાય જ્ઞાન-દર્શન અને ચારિત્ર
એ ત્રણ છે. ચાર આ જ્ઞાન-દર્શનની આરાધનામાં મન ચોટે તે માટે દાન-શીલ
તપ અને ભાવ એ ચાર ધર્મની આરાધના કરવાની છે. પાંચ આ આરાધનામાં પ્રાણ સંચાર કરવા માટે પાંચ આચારનું
પાલન કરવાનું છે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપા
ચાર અને વીર્યાચાર. છે આ પાંચ આચારના સમ્યગુ પાલનથી છ જીવ નિકામ ને
સમજી ને તેની વિરાધનાથી બચવાનું છે. પૃથ્વીકાય,
અપકાય, તેઉકાય વાયુકાય અને ત્રસકાય. સાત એ છે જીવનિકાયની વિરાધના ટાળવાથી સાત પ્રકારના ભયને
જીતી શકાય છે. આઠ પ્રભુનો ઉપકાર અમાપ છે માટે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org