SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શ્રી વજસ્વામીજીની સજઝાય શ્રી સિંહગિરિ મહારાજે એકવાર કહ્યું કે મારી પાસે હતું તે જ્ઞાન તમે લઈ લીધું છે. હજી તમારી શક્તિ છે તેથી વધુ જ્ઞાન આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે જવાથી મળી રહેશે. તેથી વજસ્વામી આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે ગયા. ત્યાં રહ્યા. ભણ્યા. વજસ્વામીજીના હૃદયમાં એવો વૈરાગ્ય હતો કે જે સ્થાનમાં તેઓએ સંથારો કર્યો હોય તે વસતિ–ઉપાશ્રયમાં જે સંથારો કરે તેને વજસ્વામી જ્યારે અણસણ સ્વીકારે ત્યારે અણસણ લેવાનો વિચારભાવ થાય. પછી દેવમિત્ર પાસેથી આકાશગામિની લબ્ધિ અને વૈક્રિયલબ્ધિની વિધિ મળી. તેઓશ્રી સંયમપાલનમાં પણ સજાગ હતા. તેઓશ્રીમાં સંઘની ભક્તિ પણ ઉત્કૃષ્ટ પ્રકારની હતી. • એકવાર દુકાળ હતો તો સંઘને સુકાળ હોય ત્યાં મૂક્યો. - સંઘ માટે પ્રભુની પૂજા કરવા માટે વીસ લાખ ફૂલ લાવ્યા. પંડિત પદવિજયજી મહારાજરચિત શ્રી વજસ્વામીની સઝાય સાંભળજો તમે અદ્ભુત વાતો, વયર કુંવર મુનિવરની રે; ષટ મહિનાના ગુરુ ઝોળીમાં, આવે કેલિ કરતા રે, ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગીયાર ભણંતા રે. સાંવ ૧ રાજસભામાં નહિ ક્ષોભાણા, માત સુખલડી દેખી રે; ગુરુર્વે દીધાં ઓઘો મુહપત્તિ, લીધાં સર્વ ઉવેખી રે. સાંવર ગુરુ સંગાથે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; બાળપણાથી મહા ઉપયોગી, સંવેગી શિરદાર રે. સાં૦ ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy