________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
૩૩
બાળકનાં અંગોપાંગ હૃષ્ટપુષ્ટ હતાં. તેથી ખાસ્સું વજન હતું, ધર્મલાભ કહીને ચાલ્યા. સાથેના મહારાજ પાસેની ઝોળીમાં જરૂરી ગોચરી વહોરીને ગામ બહાર વસતિ ભણી ચાલ્યા. પણ ગુરુ મહારાજની પાસે પહોંચતાં પહોંચતાં તો આ એક ઝોળીના ભારથી હાથ વાંકો વળી ગયો. જ્યાં નિસિહી નિસિહી નમો ખમાસમણાણ કરીને ગુરુ મહારાજ પાસે આવી રહ્યા છે ત્યાં જ ગુરુ મહારાજ કહે છે કે “આ વજ્ર જેવું ભારે શું લાવ્યા છો !” જ્યાં પાટ ઉપર એ ખીલખીલ હસતા બાળકને મૂકે છે ત્યાં તેને જોઈને બધા સાધુ મહારાજ ખુશખુશાલ થઈ ગયા અને એકી અવાજે બોલી ગયા કે ગુરુ મહારાજના મુખે આ નામ આવ્યું છે તો ભલે “અયં શિશુ વગ્ર નામો ભવતુ આ બાળકનું વજ્ર એવું નામ રહે. બસ પછી તો વજસ્વામી એ નામ જ રહ્યું અને અમર થયું.
પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજે શ્રી વજસ્વામી મહારાજના જીવનને વર્ણવતી એક સુંદર સજ્ઝાય બનાવી છે. તેમાં એક લીટીમાં કેવી સુંદર રીતે આ વાત મૂકી છે. “ષટ્ મહિનાના ગુરુ ઝોળીમાં આવે કેલિ કરતા રે’’ હવે બધા ‘વજ કયાં છે ? વજ શું કરે છે?' એમ સહજતાથી તેઓનું નામ આ બધાને પ્રિય થઈ પડ્યું. મોઢે ચડી ગયું.
માત્ર છ મહિનાના જ હતા. તેથી તેમનો હજી ઉછેર કરવા માટે માતાની જ જરૂર ગણાય. તેથી શ્રાવિકાને સોંપવામાં આવ્યાં. સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં ઘોડિયામાં રાખવામાં આવ્યા. દીક્ષાની સંયમજીવનની તીવ્ર અભિલાષા હતી. તેથી મનોમન જ તેઓએ એ સ્થિતિમાં પણ અચિત્ત વસ્તુ જ વાપરવાનું રાખ્યું હતું. મુને પ્રાસુ વગ્ર: પ્રાળયાત્રા તે સુધી ( ૨૨/૬૦ ) શ્રાવિકાઓ
૧. એ સજ્ઝાય પરિશિષ્ટમાં આપી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org