________________
૩૨
જ્ઞાનપદ ભજીએ રે કહીને આવસ્યહિ આવસ્યહિ કહીને આગળ વધ્યા. આર્ય સિંહગિરિ મહારાજના શિષ્યો ખૂબ વખણાયા છે. તેનું કારણ આ જ છે કે ગુરુ મહારાજની વાણીમાં શંકા ન કરાય, આદર જ કરાય આ તેઓમાં સહજ હતું.
જેવા સુનંદાને ઘેર ધર્મલાભ કરી ઊભા રહ્યા. જાણે સુનંદા એ ઘડીની રાહ જોઈ હોય તેમ તેઓ તૈયાર હતા. એક બાજુ છે મહિનાના નાના બાળકની નાનકડી કાળી કાળી આંખ આ બે મુનિરાજને જોઈ હસવા લાગી. ગોરું મુખડું હતું તેથી વધુ ગોરું બની ગયું. માથાના કાળા કાળા વાંકડિયા વાળ મોને શોભાવી રહ્યા. ગાલમાં નાના ખાડા પડ્યા. સોના જેવા રંગવાળા નાના નાના પગ વારંવાર ઉછળવા લાગ્યા. તેને પ્રકટપણે ઓળખ નથી કે આ મારા પિતા છે. પણ અવ્યક્તપણે હદય તો પહેચાની જ ગયું. તેના કિલ્લોલથી ઓરડો ભરાઈ ગયો. મુનિ મહારાજ પણ બાળકને જોઈ પ્રસન્ન થઈ ગયા. .
ધનગિરિજીને આંગણે આવેલા જોઈને સુનંદા બોલવા જ લાગી “હું કેટલાય દિવસથી રાહ જોતી હતી તે દિવસ આજે આવ્યો છે. આનાથી હું કંટાળી ગઈ છું. આને તમે લઈ જાઓ.” આર્યસમિતિ મહારાજ તો અનુભવી હતા. તેઓએ કહ્યું કે ચાર-પાંચ જણાને સાક્ષી માટે બોલાવો. જુઓ આ બધાની વચ્ચે તમે આ બાળક અમને સોપો છો. હવે તમારો હક્ક રહેતો નથી. સુનંદા તો છે મહિનામાં બહુ અકળાયાં હતાં. તેથી કહે કે હા, ભલે, આ બધા પંચની સાક્ષીએ બાળક તમને દીધો.
શ્રી ધનગિરિજી મહારાજે તુર્ત ઝોળી લંબાવી. કિલ્લોલ કરતું બાળક ઝોળીમાં શાન્તપણે આવી ગયું. સુનંદાને થયું હાશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org