SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપદ ભજીએ રે તમારા બધાનું ગણિત પાકું છે તો મને કહો કે ૫૦૦ વર્ષનાં મહિના કરો, તેના દિવસ કરો અને એક દિવસમાં એક અધ્યયન પ00 વખત ગણી લેતા, તો તેનો કેટલીવાર સ્વાધ્યાય થયો ? એવો નિયમ છે કે રૈન પુસ્ત વિ. સો વખત સુધી બોલો ત્યાં સુધી વિદ્યા પુસ્તકમાં રહે છે. સહન કુલતિા એક હજારવાર બોલો તો બરાબર મોઢે થઈ જાય. તક્ષેખ નન્સપર્યતનું લાખ વાર બોલો તો જિંદગીના છેડા સુધી આવે અને ત્યાં નનારે એક કરોડ વાર બોલો તો જન્માન્તરમાં પછીના ભવમાં પણ આવે. આ નિયમ મુજબ એ દેવલોકના ભવમાં એ અધ્યયનનો સ્વાધ્યાય લાંબો વખત થયો. તેથી આ સંસ્કાર હેઠ અજ્ઞાત મન સુધી રોપાઈ ગયા હતા. જેથી જેવો પૂર્ણ માસે સુનંદાની કૂખે જન્મ થયો ત્યારે સુનંદાની સખીઓ આ તંદુરસ્ત હૃષ્ટપુષ્ટ અને રૂપરૂપના અંબાર જેવા આ બાળકને જોઈ રહી અને બોલ્યા વિના ન રહી શકી કે આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો આ બાળકનો જન્મ મહોત્સવ કેવો ઠાઠમાઠથી ઉજવાત. સખીઓના અંદર અંદરના વાર્તાલાપમાં આવેલો દીક્ષા શબ્દ તાજા જન્મેલા બાળકના કાનમાં જેવો દાખલ થયો કે તુર્ત દીક્ષા-દીક્ષા આ શબ્દ તો મેં જાણેલો છે. હા...હા... પૂર્વભવમાં મેં વારંવાર જાણ્યો છે. એમ ઊહાપોહ કરતાં એ બાળકને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પુર્વ ર વિત્તયન્ત ર નતિ-અરળ માપ : / (૨૨/૨૭) સમગ્ર પૂર્વભવ દેખાયો. અષ્ટાપદ તીર્થ દેખાયું. તેમાં ગૌતમ મહારાજા દેખાયા. તેઓએ કહેલું પુંડરીક-કંડરીક અધ્યયન અને તેની કથા જણાઈ અને તેનો સ્વાધ્યાય યાદ આવ્યો. અને ત્યારે દીક્ષા લેવાનો કરેલો મનોરથ પણ યાદ આવ્યો. અને ત્યારે જ પિતાજીના માર્ગે જવાનું મન કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy