________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
તમે બધાએ આ પુંડરીક-કંડરીકની કથા સાંભળી જ હશે એમ માનું છું.
સભા સાહેબ! કદાચ કોઈ કોઈએ સાંભળી છે. છતાં કહોને?
કથા તો લાંબી છે. આપણે તો આજે જ્ઞાનપંચમીના પ્રભાવની વાતમાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર વાચના-પૃચ્છના-પરાવર્તના-ધર્મકથા અને અનુપ્રેક્ષાની વાત કરવી છે. તેના અન્તર્ગત એ સ્વાધ્યાયનો રંગ લગાડવા માટે શ્રી વજસ્વામી જેવા પૂર્વધરની વાત કરવી છે. આવા પુરુષના નામમાં પણ ભરપૂર શક્તિ હોય છે.
હો, તો ગૌતમ મહારાજાએ દેશનામાં તપ હોય તો પણ શરીર દુર્બળ ન હોય અને પુષ્ટ પણ હોય તેવું બને એ સમજાવ્યું અને એ શ્રવણ કરનાર તિર્યક જાંબુક દેવના મનમાં ચમત્કારિક અસર થઈ. પહેલું આશ્ચર્ય થયું. પછી સમાધાન અને સંતોષ થયો ! અને પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય અને સંયમની લગની લાગી. આશ્ચર્ય એ વાતે થયું કે જે પ્રશ્ન મારા મનમાં ઘૂંટાતો હતો તેની એમને કેવી રીતે ખબર પડી હશે. મેં તો પૂછ્યું નથી. વળી તેનું આટલું સુંદર સમાધાન કરી આપ્યું કે જેથી કશું પૂછવાનું જ ન રહે, વળી એ વાત એટલી બધી ગમી ગઈ કે અનાયાસ જ યાદ રહી ગઈ. નિયમ એવો છે કે જે વાત ગમી જાય તે યાદ રહી જાય છે. પહેલાં શાન ગમાડવું છે. પછી ગોખવું છે. જો જે ગમતું હશે તે ગોખવા બેસશો તો ઝોકાં થાક, કંટાળો કશું નહીં વરતાય. પણ મૂળથી પ્રીતિ નથી હોતી તેથી જેવી ચોપડી હાથમાં લેશો કે ઝોકાં શરૂ થશે.
એ તિર્યક જાંબુક દેવને એ સમગ્ર પુંડરીક કંડરીકની કથા એવી છે જે ગમી ગઈ કે તે જે સ્વરૂપે - જે શબ્દોમાં તેઓએ ઝીલી એ * એક કથા ને તેની સઝાય પરિશિષ્ટરૂપે આપી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org