________________
૨
જ્ઞાનપદ ભજીએ રે ગૌતમ મહારાજનું શરીર હૃષ્ટપુષ્ટ હતું. એટલે તિર્યક જાંબુક દેવના મનમાં ગડમથલ ચાલે છે. તપોધના હિ સાધવ તપસ્વિનતુ કૃશકાયા એવ” (સાધુઓ તપસ્વી હોય અને જે તપસ્વી હોય તે દૂબળા પાતળા હોય જ્યારે આ તો જુઓ.)
આ બાજુ મિત્ર દેવના તીર્થકર ભગવાનનાં દર્શન-વજન સંપન્ન થયાં. તેથી તેઓ બન્ને એ ચૈત્યની બહાર આવ્યા. શ્રી ગૌતમ મહારાજા પણ પ્રભુની સ્તવના પૂર્ણ કરીને ચૈત્યની બહાર પધાર્યા.
એક શિલાપટ હતો ત્યાં બિરાજ્યા. એ બન્ને દેવોએ વન્દના કરી સુખશાતા પૂછીને સન્મુખ બેઠા.
હવે જુઓ આ તિર્યક જાંબૂક દેવની ભવિતવ્યતા ઊજળી તે ગૌતમ મહારાજાને મન:પર્યવ જ્ઞાનનો ઉપયોગ મૂકવાનું મન થયું. કે આ સામે બેઠો છે તેના મનમાં શું ચાલે છે ? જેવો ઉપયોગ મૂકયો એટલે આ તિર્યકજાંબુક દેવના મનની મૂંઝવણ જણાઈ આવી અને એ મૂંઝવણ નિવારવા માટે ગૌતમ મહારાજાએ કોઈ પૂર્વભૂમિકા - જેવી કે તમારા મનમાં આવો સંશય થયો છે, તેનો ઉત્તર આ પ્રમાણે છે, એવું એવું કશું કીધા વિના જ સીધી પુંડરીક અને કુંડરીકની કથા કહેવા માંડી.
કહેનારા સૌભાગ્યના ભંડાર ગૌતમ મહારાજા હોય તો સાંભળનારને તો “શુણતાં શ્રવણે અમી ઝરે” એવું જ બને. કથાના શ્રવણરસમાં તણાતા ગયા. વચ્ચે વચ્ચે પેલી હૃષ્ટપુષ્ટ કાયાવાળી વાત આવે જ. છેલ્લે હૃષ્ટપુષ્ટ કાયાવાળા પુંડરીક રાજા દીક્ષા લે છે ત્યારે તેમની કાયા તો પુષ્ટ હતી અને કંડરીક હજાર વર્ષનું ચારિત્ર પાળીને રાજ ગાદીએ બેસે છે. ત્યારે તેમનું શરીર સાવ દૂબળું હતું. માટે તપનો પરિણામ એ અંતરંગ વસ્તુ છે. તેને બાહ્ય શરીર સાથે સંબંધ છે જ તેવું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org