________________
૩૦૯
અર્થને અન્યથા કરવા ઉપર દૃષ્ટાંત વડે હાંસી કરાતો મધુપિંગ લજ્જા પામીને સભામાંથી જતો રહ્યો અને તે કન્યાને સગર રાજા પરણ્યો. પછી મધુપિંગ ક્રોધથી તપ કરીને મહાકાળ નામનો અસુર થયો. આ અસુર અને પર્વતકને ત્રીજો “પિપ્પલાદ” પણ મળ્યો હતો.
પિપ્પલાદનું વૃત્તાંત એવું છે કે-“સુલતા” અને “સુભદ્રા” નામે બે પરિવ્રાજિકાઓ જગપ્રસિદ્ધ હતી. તેમાં મોટી સુલસા ઘણી જ વિદ્વાન હતી, તેથી તેણીએ પડહ વગડાવ્યો હતો કે “જે કોઈ મને વાદમાં જીતે તેની હું શિષ્યા થાઉં, અને જો તે મને ન જીતે તો તે મારો શિષ્ય થાય.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ફરતાં કોઈ વખત તેણીને “યાજ્ઞવલ્કય” નામના પરિવ્રાજક સાથે વાદ થયો. તેમાં યાજ્ઞવલ્કયનો પરાજય કરી તેણીએ તેને પોતાનો શિષ્ય કર્યો. ત્યાર પછી અનુક્રમે ઘણા પરિચયને લીધે તેમની અકાર્યમાં પ્રવૃત્તિ થવાથી સુલભા ગર્ભવતી થઈ. તે વાત સુભદ્રાએ જાણી, ત્યારે તેણીએ તેણીને અત્યંત ઉપાલંભ આપી ગુપ્ત રાખી. અનુક્રમે તેણીને પુત્ર પ્રસવ થયો, તે વખતે સુભદ્રા ન જાણે તેમ તે પુત્રને એક પીપળા નીચે મૂકી તે બન્ને નાશી ગયા. પ્રાતઃકાળે તેમનાં પગલાંને અનુસાર તેમની શોધ કરતાં સુભદ્રાએ પીપળા નીચે પુત્રને જોયો. તે પુત્ર ભૂખ્યો હોવાને લીધે પીપળાનું ફળ પોતાની મેળે તેના મુખમાં પડવું હતું તેને ચાટતો હતો, તેથી તેનું “પિપ્પલાદ” એવું નામ પાડીને સુભદ્રાએ પોતાના આશ્રમમાં રાખી તેને વૃદ્ધિ પમાડ્યો. યોગ્ય વયનો થયો ત્યારે તેને ભણાવ્યો, તેથી તે ઘણો વિદ્વાન થયો. એકદા તેણે પોતાની ઉત્પત્તિ તથા માતા-પિતાની વાત સાંભળી એટલે તે અના માબાપ પર દ્વેષ વહન કરીને તેમનો વધ કરવા માટે અનાર્ય ગ્રંથો રયા. અને તેમાં એવી પ્રરૂપણા કરવા લાગ્યો કે-“રાજાઓએ અશ્વાદિકની શાંતિ માટે અને સ્વર્ગાદિકની પ્રાપ્તિ માટે પશુ, ઘોડા, હાથી અને મનુષ્યાદિક વડે યજ્ઞ કરવો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org