________________
શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત
૨૯૫
(સૈન્ય)માં આવી રાજાના પ્રધાનોને કહ્યું કે- “ હે રાજસેવકો ! તમારા રાજાને મારર પાસે લાવો. હું તેને સૂર્યવિકાસી કમળની જેમ પ્રફુલ્લિત નેત્રવાળો કરું.' તે સાંભળીને પ્રધાનોએ રાજાને પ્રેરણા કરી, એટલે તે તેની પાસે આવ્યો. પછી તે ઋષિએ આપેલું નિર્માલ્ય બહુમાનથી લઈને રાજાએ પોતાની આંખો પર રાખ્યું, કે તરત જ તે સજ્જ નેત્રવાળો થયો. તેથી પ્રસન્ન થયેલા રાજાએ તેને ઈનામમાં સો ગામ આપ્યાં, અને આ જ ઠેકાણે આ મોટો શિવનો પ્રાસાદ કરાવી આપ્યો. હવે તે ભરકટ ઋષિ રાજાદિકને માન્ય હોવાથી અહીં જિનાલય કરવા દેતો નથી, કેમકે અહીં મિથ્યાર્દષ્ટિઓનું બળ વધારે છે. માટે આપ એવો કાંઈક યત્ન કરો કે જેથી અહીં આ શિવાલયથી પણ ઊંચું અને મનોહર જિનચૈત્ય કરી શકાય. આ કાર્યમાં માત્ર આપ જ સમર્થ છો, માટે આપને અમે વિસ્તૃત કરીએ છીએ.” આ પ્રમાણે શ્રાવકોની વિજ્ઞપ્તિ સાંભળીને મુનીશ્વર શ્રી સિદ્ધસેનસૂરિ વિહાર કરી અવંતિ નગરીમાં આવ્યા, અને નવા અદ્ભુત ચાર શ્લોકો બનાવીને, હાથમાં શ્લોકનો કાગળ રાખી વિક્રમ રાજાના મહેલના દ્વાર પાસે આવી દ્વારપાળ મારફત એક શ્લોક રાજા પાસે મોકલ્યો. તે બ્લોક આ પ્રમાણે હતો.
दिदृक्षुर्भिक्षुरायातस्तिष्ठति द्वारि वारितः । હસ્તચવતુ:નો, ડાળઋતુ વર્જીતુ | શ્
અર્થ - આપને જોવાની ઇચ્છાવાળો ભિક્ષુ હસ્તમાં ચાર શ્લોક રાખીને દ્વારપાળે નિષેધ કરવાથી બારણે જ ઊભો છે, તે આવે કે જાય?
આ શ્લોક સાંભળીને રાજાએ આશ્ચર્ય પામી તેના જવાબમાં સામો શ્લોક મોકલ્યો ? -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org