SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત ૨૯૧ તો જ દેખાય છે.” તે સાંભળીને તે અવંતિસુકુમાલ સૂર્યોદય થયા પહેલાં જ નલિનીગુલ્મવિમાનમાં જવા માટે અત્યંત ઉત્કંઠિત થયો, તેથી સંયમ (ચારિત્ર) ગ્રહણ કરવા સારુ અત્યંત ઉત્સુક થઈને પોતાની જાતે જ પંચમુષ્ટિ લોચ કરી તેણે મુનિવેષ ધારણ કર્યો. એટલે સૂરિએ પણ તેને વિધિ પ્રમાણે દીક્ષા આપી. પછી ચારિત્ર તપના કષ્ટને સહન કરવામાં અસમર્થ હોવાથી સૂરિની આજ્ઞા લઈ શરીરની વેદનાને નહીં ગણતો, તીક્ષ્ણ દર્ભના અગ્રભાગ વડે બને પગ વિંધાવાથી તેમાંથી નીકળતા લોહી વડે માર્ગને કાદવવાળો કરતો તે “કંથેરિકા કુડંગ” નામના સ્મશાનમાં ગયો, અને ત્યાં પાદપોપગમ નામનું અણશણ અંગીકાર કરી ધ્યાનમગ્ન થઈને રહ્યો. તેના રુધિરના ગંધથી આકર્ષાઈને એક નવી પ્રસૂતિવાળી દુષ્ટ શિયાળણી પોતાનાં બચ્ચાં સહિત ત્યાં આવી. વાઘણની જેવી ભયંકર મુખને ધારણ કરતી તથા રાક્ષસીની જેવી ભૂખી થયેલી તે તેનું ભક્ષણ કરવા લાગી. તેણીએ તથા તેણીનાં બચ્ચાંએ રાત્રિના પહેલા પહોરમાં તેના બે પગનું ભક્ષણ કર્યું, બીજા પહોરમાં તેના સાથળો સુધી ભક્ષણ કર્યું અને ત્રીજા પહોરમાં તેનું સઘળું ઉદર ભક્ષણ કર્યું, તોપણ તે મુનિ લેશમાત્ર પણ કંપાયમાન થયા નહીં. “અહો ! આટલું બધું સુકુમાળપણું (કોમળપણું) છતાં પણ દુસહ મહા વ્યથા કેવી રીતે સહન કરી? અહો! મહા સાહસિકોમાં પણ શિરોમણિ એવા તેમને ધન્ય છે.” પછી રાત્રિના ચોથા પહોરે તે મહાસત્ત્વવાન અવંતિસુકુમાલ સાધુ કાળધર્મ પામીને નલિનીગુલ્મ વિમાનમાં મહર્તિક દેવપણે ઉત્પન્ન થયા. તેના સાહસથી તુષ્ટમાન થયેલા દેવોએ તે જ વખતે તેના દેહનો મહિમા કર્યો. પ્રાતઃકાળે શ્રતના ઉપયોગથી ગુરુએ સર્વ વૃત્તાંત જાણીને તેની માતા ભદ્રાને તથા તેની સ્ત્રીઓને કહ્યું, ત્યારે તે સ્ત્રીઓ ભદ્રામાતા સહિત સ્મશાનમાં ગઈ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy