________________
૨૯૦
જ્ઞાનપદ ભજીએ રે.
ભ્રમરરૂપ હતો. તથા શાલિભદ્રની જેમ અત્યંત ભોગરસના સમુદ્રમાં નિમગ્ન હોવાથી અલ્પ પણ ગૃહવ્યાપાર કરતો નહોતો. તેની માતા જ સર્વ ગૃહચિંતા કરતી હતી. એકદા મૌર્ય વંશના અગ્રેસર
સંપ્રતિ” રાજાને પ્રતિબોધ કરનાર “શ્રી આર્ય સુહસ્તી” નામના આચાર્ય ભગવંત પોતાના ગચ્છ સહિત વિહારના ક્રમે ત્યાં આવ્યા, અને ભદ્રાની અનુમતિથી તેણીના આવાસની પાસે જ વાહનશાળામાં રહ્યા. એકદા પ્રદોષ સમયે સૂરિ મહારાજ “નલિનીગુલ્મ” નામનું અધ્યયન ગણતા હતા. કર્ણને રસાયણ સમાન તે અધ્યયન સાંભળતાં જ અત્યંત આનંદ પામેલો ભદ્રાનો પુત્ર અવંતિસુકુમાલ સાત ભૂમિકાના પ્રસાદથી નીચે ઉતરીને ગુરુની વસતિના દ્વાર પાસે આવીને સાંભળવા લાગ્યો, તરત જ તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. એટલે તે ગુરુ પાસે આવી નમસ્કાર કરી બોલ્યો કે, “હે ભગવાન! હું ભદ્રાનો પુત્ર છું. નલિનીગુલ્મ વિમાનની અનુપમ ઋદ્ધિનો મેં પૂર્વભવે અનુભવ કર્યો છે. તે સુખ મને જાતિસ્મરણ થવાથી યાદ આવ્યું છે. તેથી સંસારના સુખથી પરાભુખ થઈને હું ત્યાં જ જવાને અત્યંત ઉત્સુક થયો છું. હે ભગવાન! પૂજ્ય એવા આપ પણ શું નલિનીગુલ્મ વિમાનમાંથી જ અત્રે આવ્યા છો? કેમકે નહીં તો તે વિમાનનું યથાર્થ સ્વરૂપ આપ શી રીતે જાણો?” તે સાંભળીને ગુરુ મહારાજ બોલ્યા કે “સર્વશે રચેલા સિદ્ધાંતના વચનથી અમે તેનું સ્વરૂપ જાણીએ છીએ.” તેણે પૂછ્યું કે “કયા ઉપાય વડે તે વિમાન જલદી પ્રાપ્ત થાય?” ગુરુ બોલ્યા- “ચારિત્ર લેવાથી તે સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ તું અત્યંત કોમળ છે અને ચારિત્ર અત્યંત કઠિન છે. કેમકે લોઢાના ચણા ચાવવા સુકર છે, અગ્નિનો સ્પર્શ પણ સુકર છે, પરંતુ જિનેશ્વરે કહેલું ચારિત્ર અતિચારરહિત પાલન કરવું અતિદુષ્કર છે. વળી તે ચારિત્ર પોતાના સ્વજનોની અનુમતિ હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org