________________
શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત
૨૮૭ સર્વે સિદ્ધાંતોને સંસ્કૃત ભાષામાં કરું કે જેથી લોકમાં ઉપહાસ ન થાય.” આ પ્રમાણે દોષયુક્ત વાણી સાંભળીને સંઘે કહ્યું કે “અરે! આવું અયોગ્ય વચન કેમ બોલો છો? શું જિનેશ્વરો તથા ગણધરો વિગેરે સંસ્કૃત ભાષામાં સિદ્ધાંતો રચવાને સમર્થ નહોતા હતા જ, પરંતુ બાલાદિકના અનુગ્રહને માટે અર્ધમાગધી રૂપ પ્રાકૃત ભાષામાં તેમણે સિદ્ધાંતોની રચના કરેલી છે. કહ્યું છે કે
बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चरित्रिकांक्षिणाम् । મનુષ્યર્થ તત્ત્વસિદ્ધાન્ત: પ્રાત: કૃd: / ? //
અર્થ– ચારિત્રની ઈચ્છાવાળા બાળક, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા અને મૂર્ખ માણસોના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરુષોએ સિદ્ધાંતને પ્રાકૃતમાં રચ્યા છે. ૧
બુદ્ધિમાન મુનિવરોને માટે ચૌદ પૂર્વે સંસ્કૃતમાં જ રચેલા સંભળાય છે, માટે તે સૂરિ મહારાજ ! તમે આવા વચનમાત્રથી પણ જિનેશ્વરાદિકની અત્યંત આશાતના કરી છે, તેને માટે જે પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં હોય તે વિચારીને જલદી અંગીકાર કરો.” આ પ્રમાણે સંઘની આજ્ઞા સાંભળીને સૂરિજીને સારી રીતે પોતાની ભૂલ જણાયાથી અત્યંત પશ્ચાત્તાપ થયો. અને તે બોલ્યા કે- “વિના વિચાર બોલનાર અને જિનાદિકની આશાતના કરનાર એવા મને ધિક્કારે છે. આ દોષને ટાળવા માટે મને પારાંચિક પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય છે. જો કે હાલના સમયમાં તેવા પ્રકારના સંહનન આદિ બળના અભાવને લીધે આ પારાંચિક પ્રાયશ્ચિત્તનો ચુચ્છેદ થયો છે. તો પણ બાર વર્ષ સુધી આ પારાંચિક પ્રાયશ્ચિત્તનું હું આચરણ કરીશ, તેમાં રજોહરણ, મુખવસ્ત્રિકા વિગેરે જૈન લિંગને ગુપ્ત રાખી, અવધૂતનો
૧. દશ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં આ સૌથી છેલ્લું અને મોટું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org