SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જ્ઞાનપદ ભજીએ રે વનમાં એટલે શબ્દરૂપ સિદ્ધાંતમાં કેમ હો છો? શા માટે ભ્રાંતિ પામો છો ? કેમકે તે સિદ્ધાંત સત્ય છે, તેથી તેમાં જ પ્રીતિ રાખો. ચોથો અર્થ– પ્રાકૃત ભાષામાં અનેક અર્થ થવાથી એવો પણ અર્થ થાય છે કે - જેને ફળો આવ્યાં નથી એવાં પુષ્પોને તોડો નહીં. એટલે કે યોગરૂપી લ્પવૃક્ષનું મૂળ યમ નિયમ છે, ધ્યાનરૂપ તેનું પ્રકાંડ છે, સમતારૂપ સ્કંધ છે, કવિત્વ, વકતૃત્વ, યશ, પ્રતાપ, મારણ, સ્તંભન, ઉચ્ચાટન અને વશીકરણાદિક સામર્થરૂપી પુષ્પો છે, તથા કેવળજ્ઞાનરૂપી ફળ છે. હજુ માત્ર યોગરૂપ કલ્પવૃક્ષનાં પુષ્પો જ આવેલાં છે, તે પુષ્પો આગળ પર કેવળજ્ઞાનરુપ ફળને ઉત્પન્ન કરવાનાં છે. માટે હજુ ફળ આવ્યા પહેલાં તે પુષ્પોને તોડો : નહીં. આરામરૂપી પાંચ મહાવ્રતોને અથવા પાઠાંતરે રેપ એટલે પાંચ મહાવ્રતોપ રોપાને ભાંગો નહીં. મનરૂપ પુષ્પો વડે નિરંજન જિનેશ્વર દેવની પૂજા કરો, તથા એક વનથી બીજા વનમાં કેમ ભ્રમણ કરો છો? એટલે કે રાજસેવાદિક વિરસ ફળવાળાં કષ્ટોને શા માટે અંગીકાર કરો છો ? આ પ્રમાણે ગુરુએ કરેલી વ્યાખ્યા સાંભળીને સિદ્ધસેનને અત્યંત પશ્ચાત્તાપ થયો. તેનું મન અત્યંત સંવેગને પામ્યું, તેથી પોતાના પ્રમાદની આલોયણ લઈને રાજાની રજા લઈ તેણે ગુરુની સાથે વિહાર કર્યો. અનુક્રમે વૃદ્ધવાદી સ્વર્ગે ગયા. પછી એકદા સિદ્ધાંતની પ્રાકૃત ભાષા હોવાથી અન્ય દર્શની હાંસી કરવા લાગ્યા, તે સાંભળીને લજ્જા પામેલા સિદ્ધસેને બ્રાહ્મણ જાતિને લીધે, બાલ્યાવસ્થાથી જ સંસ્કૃતના અભ્યાસી હોવાને લીધે તથા કર્મના દોષને લીધે કાંઈક ગવિષ્ઠ થઈને સંઘ પ્રત્યે કહ્યું કે-“જો સંઘની સંમતિ હોય તો હું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy