SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત ૨૮૩ કરાતા રાજકારમાં જવા આવવા લાગ્યા. અને એમ થવાથી પરિવાર સહિત તે સૂરિ રાજાનો સત્કાર અને અહંકાર વિગેરે વડે ક્રિયામાં શિથિલ થયા. કહ્યું છે કે तांबूलं देहसत्कारः, स्त्रीकथेन्द्रियपोषणम् । नृपसेवा दिवा निद्रा, यतीनां पतनानि षट् ॥१॥ અર્થ– તાંબુલનું ભક્ષણ, દેહનો શણગાર, સ્ત્રીની કથા, ઈદ્રિયોની પુષ્ટિ, રાજાની સેવા (રાજાનો પરિશ્ય) અને દિવસની નિદ્રા, એ છ મુનિઓને પતન પામવાનાં સ્થાનો છે. ૧ વળી કહ્યું છે કે “જે ગુરુ નિશ્ચિત થઈને સૂએ છે તેના શિષ્યો પણ સૂઈ રહે છે. તેથી કરીને મોક્ષના માર્ગ બંધ થાય છે અને શ્રતની હીલના થાય છે.” કેટલેક કાળે વૃદ્ધવાદીએ આ વાત સાંભળી ત્યારે તે અત્યંત ખેદ પામ્યા. એટલે ગીતાર્થ સાધુઓને ગચ્છ ભળાવી સિદ્ધસેનસૂરિને પ્રતિબોધ કરવા માટે ગુપ્ત રીતે વેષ બદલો કરીને ત્યાં આવ્યાં. અહીં તે વખતે સુખાસનમાં બેસીને શ્રી સિદ્ધસેન રાજસભામાં જતા હતા. તેઓ રાજાને માન્ય હોવાથી નાના પ્રકારની કળા જાણનારા અનેક મનુષ્યો પોતપોતાની ભક્તિ બતાવવા માટે તે સુખાસનને થોડી થોડીવાર પોતાનો ખભો દેતા હતા. તે જોઈને વૃદ્ધવાદીએ પણ પોતાનો ખભો આપ્યો. તે વખતે ગર્વથી ઉદ્ધત મનવાળા સિદ્ધસેન આ પ્રમાણે અર્ધા શ્લોક બોલ્યા કે– - भूरिभारभराक्रान्तः स्कन्धोऽयं तव बाधति । “ઘણા ભારના સમૂહથી દબાયેલો આ તારો ખભો બાધા (પીડા) પામે છે.” તે સાંભળીને વૃદ્ધવાદી બોલ્યાन तथा बाधते स्कन्धो बाधतिर्बाधते यथा ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy